ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1282 કેસ સામે આવ્યા છે.
એક જ દિવસમાં 1111 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી
રાજ્યમાં રેકોર્ડબ્રેક 1282 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા
13 દર્દીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જોકે સાજા થવાનો દર પણ સતત 80 ટકાની આસપાસ રહે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 1282 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 1111 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી. રાજ્યનાં 13 દર્દીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.
કોરોના વાયરસના કારણે સાજા થવાના રિકવરી રેટમાં ગુજરાત 80 ટકાની આસપાસ રહે છે ત્યારે આજે 1111 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યા બાદ હાલમાં રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થવાનો દર 80.59 % છે. અત્યાર સુધીમાં 75, 662 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થયા છે.
કોરોના વાયરસને રોકવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા ખૂબ આવશ્યક છે ત્યારે રાજ્યમાં એક દિવસમાં 74, 234 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે 1142.06 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી પર થઇ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી આશરે 22 લાખ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 15, 230 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.