કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કારણ કે રાજ્યના દૈનિક કેસ 5 હજારે પહોંચ્યા છે. તો અમદાવાદમાં પણ દિવસેને દિવસે સ્થિતિ સુધરી રહી છે
ગુજરાતીઓ માટે રાહતના સમાચાર
કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો
અમદાવાદમાં પણ સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના નવા 5 હજાર 246 કેસ નોંધાયા છે.બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુનો આંકડો પણ ઘટ્યો છે. રાજ્યમાં કોરોનાથી વધુ 71 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.
રાજ્યના એક્ટિવ કેસમાં પણ થયો ઘટાડો
તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.
આજથી રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી શરૂ થશે. 14મી મે બાદ 45 વર્ષથી વધુની ઉંમરનાનું રસીકરણ બંધ થયું હતું. નવા દિશાનિર્દેશો પ્રમાણે આવતીકાલથી રસીકરણ કરવામાં આવશે. 17મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું. આજથી ફરી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મળશે. કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 12 થી 16 સપ્તાહ વચ્ચે મળશે. 18થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી મળી શકશે.