ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
24 કલાકમાં સૌથી વધુ 8,920 કેસ નવા નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 94 લોકોના કોરોનાથી મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...