ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ અવિરત પણે વધી રહી છે, ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયાની સાથે 73 લોકોના મોત પણ નિપજ્યા
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
24 કલાકમાં સૌથી વધુ 7,410 કેસ નવા નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 73 લોકોના કોરોનાથી મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયા છે અને 2642 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,3371 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4995 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 254 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 39,250 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 551 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...