રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 316 નવા દર્દીઓ ઉમેરાયા છે, તેમજ 189 દર્દીઓ સાજા થયા છે અને એક્ટિવ કેસ વધીને 1966 પર પહોંચ્યા છે
ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ
અમદાવાદમાં 111 કેસ નોંધાયા
કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 316 પોઝીટિવ કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2023
અમદાવાદમાં 111 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના 316 કેસ નોંધાય છે જેમાં અમદાવાદ 111 ,સુરત 34 અને રાજકોટ 30 કેસ નોંધાયા છે. મોરબી 23, અમરેલી 19. વડોદરા 29 કેસ નોંધાયા છે. મહેસાણા 12 ,સાબરકાંઠા 12 વલસાડ 08 કચ્છ 7 ભાવનગર 05 ગાંધીનગર 5 નોંધાયા છે. ભરૂચ 04 ,જામનગર 05 આણંદ 02 કેસ નોંધાયા છે. ખેડા 02 નવસારી પાટણ સુરેન્ન્દ્રનગર 2-2 કેસ નોંધાયા છે જ્યારે બનાસકાંઠા મહિસાગર 1-1 કેસ અને હાલ રાજ્યમા 1976 એક્ટિવ કેસ છે. 10 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાત છેલ્લા 24 કલાકમાં 643 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
189 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 316 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. તેમજ આજે 189 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1976 કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે 643 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઇઝરી
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.