આરોગ્ય મંત્રીએ કહ્યું કુલ 1,10,000 બેડ છે, તો લાખથી વધુ દર્દીને બિલકુલ ચિંતા વગર રાખી શકીએ, કોવિડની અંદરમાં ઓમિક્રોન-ડેલ્ટા વેરિયન્ટમાં ગંભીરતા હોવી જોઈએ તે ઓછી જોવા મળી છે
કોવિડમાં અત્યારે ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 1902 કોરોનાના કેસો આવ્યા
ગુજરાતમાં ઓમિક્રોનનના 97 જેવા કેસ હતા, 19 જેવા ડિસ્ચાર્જ થયા છે
હોસ્પિટલલાઇઝ જે કેસોની સંખ્યામાં 11 વેન્ટિલેટર પર અને 1891 સ્ટેબલ દર્દી છે
કોરોના કેસોમાં વિસ્ફોટ થતાં સરકાર પર દરેક પાસાને સાંકળી આયોજનમાં જોતરાઈ ગઈ છે. બીજી લહેર જેવી સ્થિતિ ફરી પેદા ન થાય તે માટે સરકારના આગોતરા આયોજન પર પ્રકાશ પાડવા આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરી માહિતી આપી છે.મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે. 31 ડિસેમ્બરે જે કોરોના ગાઈડલાઇન પૂર્ણ થતી હતી તે હવે 7 જાન્યુઆરી સુધી લંબાઈ દેવામાં આવી છે તેવી જાહેરાત પણ આરોગ્ય મંત્રીએ કરી છે.
બાળકોના વેકસીનેશનને લઈ આયોજન
આગામી તા . ૩ જી જાન્યુઆરી , ૨૦૨૨ થી ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ -૧૯ ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે . આ કેમ્પેઇન માટે શિક્ષણ વિભાગ મહત્વનો ભાગ ભજવનાર છે . સદર કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવનાર છે . આ માટે સમગ્ર રાજ્યમાં તા . ૦૩.૦૧.૨૦૨૨ થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે . તા . ૦૭.૦૧.૨૦૨૨ ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા . ૮ અને ૯ મી જાન્યુઆરી , ૨૦૨૨ ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે .
ફ્રંટ લાઇન વર્કર અને 60 વર્ષથી ઉપરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ
આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન તા . ૧ લી જાન્યુઆરી , ૨૦૨૨ થી અને ઓનલાઇટ રજીસ્ટ્રેશન તા . ૩ જી જાન્યુઆરી , ૨૦૨૨ ના રોજ થી શરૂ થનાર છે . .વધુમાં , આગામી તા . ૧૦ મી જાન્યુઆરી , ૨૦૨૨ થી સમગ્ર દેશમાં હેલ્થ કેર વર્કર , ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે . ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ .લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ રસી લઇ શકે છે , જે લાભાર્થીને કોવિડ -૧૯ રસીનો બીજો ડોઝ લીધા બાદ ૯ મહિના ( ૩૯ અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે . પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિનપોર્ટલ પરથી ઉપલબ્ધ કોવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાંર્થીને પ્રિકોશન ડોઝ માટે SMS થી પણ જાણ કરવામાં આવશે . કોવિડ -૧૯ ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી ૧૫ વર્ષથી વધુ વયના તમામ લાભાર્થી કોવિડ -૧૯ રસીના બંને ડોઝ સમયસર લે તે ખુબ જ જરૂરી છે .
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?
1-12થી 30-12 સુધીમાં 24 દર્દીના ડેથ થયા છે
રાજ્ય સરકારે પૂરતી તૈયારીઓ કરી છે છે
રાજ્યમાં 2827 વેન્ટિલેટર બેડ છે
55284 ઓક્સિન બેડ છે
કુલ 1,10,000 બેડ છે, તો લાખથી વધુ દર્દીને બિલકુલ ચિંતા વગર રાખી શકીએ
રાજ્યમાં 2827 વેન્ટિલેટર બેડ છે
જે આ આંકડાઓના પ્રમાણમાં ઘણા બધા દર્દીઓ ખુબ ઝડપથી સાજા થવા
સંક્રમણનો દર વધારે પરંતુ ગંભીરતાને તિવ્રતા ખુબ ઓછો છે
ડેલ્ટા વેરિયન્ટ વાળા કેસ પણ છે
બન્ને ડોઝનુ જે રસીકરણ છે તેમાં બીજા ડોઝથી 90 લાખ જેટલા લોકો વેક્સિનથી વંચિત છે
18 વર્ષની તમામે તમામ એક ડોઝ આપી દીધા છે, બાકીના બીજા ડોઝના પ્રયાસો ચાલુ છે
આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રયત્નો થયો છે
કોવિડની અંદરમાં ઓમિક્રોન-ડેલ્ટા વેરિયન્ટમાં ગંભીરતા હોવી જોઈએ તે ઓછી જોવા મળી છે
સંભવિત ત્રીજી લહેરના ભણકારા?
તારીખ 30 ડિસેમ્બરને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે તાપી હૉલ સ્વર્ણિમ સંકૂલ ખાતે પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી જેમાં મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી કોરોના કેસો ગત દિવસોની સરખામણીએ ડબલ અને ત્રણ ઘણા આવી રહ્યા છે. સાથે ઓમીક્રૉન કેસોની સંખ્યા પણ 100 નજીક પહોંચવા આવી છે તેમાંથી ઘણા કેસો એવા પણ પોઝિટિવ આવ્યા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે કોર કમિટીની બેઠક દરરોજ મળશે
ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ કોર કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં કોરોના કંટ્રોલની કામગીરીની રોજ રૂપરેખા તૈયાર થશે તેમજ જિલ્લાને આપેલ આદેશ પ્રમાણે થઈ રહેલા કામોનું સીએમ પટેલ ખુદ નિરીક્ષણ કરશે.સોમ, મંગળ, બુધ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોર કમિટીની બેઠક મળશે જ્યારે ગુરુ, શુક્ર, શનિ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થશે.
બેઠકમાં દરરોજ કોણ હાજર રહેશે?
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રોજે મળનારી કોર કમિટીની બેઠકમાં પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેવા મંત્રીઓ તો
મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ રાજકુમાર જેવા મોટા અધિકારી હાજર રહેશે.