રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 717 નવા કોરોનાના કેસ નોંધાયા, 562 સાજા થયા, 3879 એક્ટિવ કેસ, અમદાવાદમાં 316 અને સુરતમાં 116 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો
આજે 717 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 717 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 562 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3879 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે મંગળવારે 572 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે 665 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.
શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 309 કેસ ગ્રામ્યમાં 7 કેસ, સુરત કોર્પોરેશનમાં 88 ગ્રામ્યમાં 28 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 16, જામનગર કોર્પોરેશનમાં 01, ગાંધીનગર કોર્પોરેશનમાં 31 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 15 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જૂનાગઢમાં 1,જામનગરમાં 4 કેસ, મહેસાણામાં 25,ભરૂચમાં 22,વલસાડમાં 21 કેસ, પાટણમાં 19,નવસારીમાં 14,મોરબી 13 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, દ્વારકામાં 7,સાબરકાંઠામાં 5,અમરેલીમાં 4 કેસ, આણંદમાં 4,સુરેન્દ્રનગરમાં 4,અરવલ્લીમાં 2 કેસ, ખેડામાં 2, ગીર સોમનાથ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.
AMCએ લીધો મોટો નિર્ણય
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હવે એકથી વધુ લોકો સંક્રમિત હોય તેમને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાશે તેવી નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે એએમસી દ્વારા ફરી લોકોને ઘર પૂરતા સીમિત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હવે જાહેર કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ પ્રક્રિયા વધારવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે હાલ શહેરમાં 40 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
14 દિવસમાં 6861 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 23 જુનથી 6 જુલાઇ સુધીમાં 6861 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 553 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 6861 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 71,478 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.17 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.80 ટકા પહોચ્યો છે.