ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 475 નવા કેસ નોંધાયા છે. તો 248 દર્દી સાજા થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 216 કેસ અને સુરતમાં 79 કોરોનાના કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના 475 નવા કેસ નોંધાયા
અમદાવાદ, સુરત અને વડોદરામાં ચિંતા
અમદાવાદની શાળામાં 8 બાળકો પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે ત્યારે લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તેવામાં આજે ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. આજે 500ની નજીક કોરોનાના કેસ પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં નવા 475 કેસ નોંધાતા એક્ટિવ કેસ 2893 પર પહોંચ્યા છે. તો 98.88 ટકા રિકવરી રેટ છે.
અમદાવાદ શહેરમાં 211 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 76 અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 35 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 17 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 14, નવારીમાં 12, અમરેલીમાં 10, ગાંધીનગર શહેરમાં 9, કચ્છમાં 8, ભરૂચમાં 7, ગાંધીનગરમાં 7, વલસાડમાં 7, જામનગર ગ્રામ્યમાં 5, રાજકોટ શહેરમાં 5 અને ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, ખેડામાં 4, આણંદમાં 3, ભાવનગર શહેરમાં 3, પાટણમાં 3, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 2, સાબરકાંઠામાં 2, પંચમહામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની ઉદગમ સ્કૂલમાં 8 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે. તો જે કોઈ બાળકોને કોવિડના લક્ષણો જણાઇ તેવા બાળકોને સ્કૂલે ન મોકલવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, બાળકોમાં પણ પોઝિટિવ કેસ આવવાના કેસ વધ્યા છે.