ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 159 દર્દીઓ સ્વસ્થ થયા, તો રાહતની વાત એ છેકે આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 નવા કેસ નોંધાયા
આજે 159 દર્દીઓ સાજા થયા, કુલ 1261 એક્ટિવ કેસ
10 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત થયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેને લઇને એક્વિટ કેસની સંખ્યા 1261 પર પહોંચી છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. આજે 159 દર્દી સાજા થતા રાજ્યમાં સ્વસ્થ થનારા દર્દીનો આંકડો 1215192 પર પહોંચ્યો છે. તો રિકવરી રેટ 99.01 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસોમાં 1701 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં 128, સુરત શહેરમાં 27, વડોદરા શહેરમાં 22 અને ભાવનગર શહેરમાં 12 કેસ નોંધાયા છે.
આજે 16 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નહીં
આજે અમરેલી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર ગ્રામ્ય, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, જૂનાગઢ, જૂનાગઢ શહેર, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર અને તાપીમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
આજે 55865 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 110853529 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે. ત્યારે જાણો રસણીકરણની 2 દિવસની તમામ વિગત..
જણાવી દઇએ કે, 9 જુનથી 18 જુન સુધીમાં કુલ 1701 દર્દીઓને કોરોના પોઝિટિવ નોંધાયા છે. તો છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ નોંધાયા જાણીલો...
તારીખ
કોરોના કેસ
18 જૂન
234
17 જૂન
225
16 જૂન
228
15 જૂન
184
14 જૂન
165
13 જૂન
111
12 જૂન
140
11 જૂન
154
10 જૂન
143
9 જૂન
117
2થી 18 વર્ષની ઉંમર માટે સુરક્ષિત છે કોવેક્સિનઃ ભારત બાયોટેક
ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે શુક્રવારે જાહેરાત કરી કે દ્વિતીય-તૃતીય તબક્કાના અધ્યયન દરમિયાન બાળકો માટે તેમના કોરોના વાયરસ ડોઝ કોવેક્સિન સુરક્ષિત અને તેમાં વાયરસ સામે લડવાની ક્ષમતા વિકસિત કરનારા સાબિત થયું છે. દેશમાં બાળકોને આપવામાં આવી 5 કરોડથી વધુ ડોઝના આંકડાના આધારે આ ડોઝ સૌથી વધુ સુરક્ષિત સાબિત થયા છે.