છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 225 કેસ કોરોના પોઝિટવ, એક્ટિવ કેસની સંખ્યા 1186 પર પહોંચી
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
સતત બીજા દિવસે કેસ 200ને પાર
ગુજરાતમાં સતત 2 દિવસથી કોરોના બેવડી સદી મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 225 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 141 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1186 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 06 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો વડોદરામાં 27 કેસ, સુરતમાં 32 કેસ, આણંદમાં 8 કેસ, કચ્છમાં 5 કેસ, રાજકોટમાં 9 કેસ, વલસાડમાં 4 કેસ,ભાવનગર અને ગાંધીનગરમાં 3-3 કેસ,, મહેસાણા અને પાટણમાં 3-3 કેસ, ભરૂચ અને નવસારીમાં 2-2 કેસ, જામનગર, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
7 દિવસમાં આવેલા કોરોનાના કેસની એવરેજ પ્રમાણે રોજ 161 કેસ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે તો 3 જુનથી 16 જુન સુધીમાં કુલ 1648 દર્દીઓને કોરોનાએ અજગર ભરડો લીધો છે જે સચેત થવાનું સૂચવે છે.