ગુજરાતમાં કોરોના ધીમી ગતિથી સતત આગળ વધી રહ્યો છે. 15 દિવસથી સતત એક બાદ એક કેસોમાં વધારો સામે આવી રહ્યો છે. આજે કોરોનાએ બેવડી સદી મારી છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 228 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 117 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1102 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
જિલ્લા પ્રમાણે કેસ
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 116 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 30 કેસ, સુરતમાં 26 કેસ, રાજકોટમાં 12 કેસ, જામનગરમાં 8 કેસ, નવસારીમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ, વલસાડમાં 3 કેસ, અમરેલી અને કચ્છમાં 2-2 કેસ, મોરબીમાં 2 કેસ, ભાવનગરમાં એક કેસ, પંચમહાલમાં એક કેસ, પાટણ અને પોરબંદર જિલ્લામાં કોરોનાના એક-એક કેસ સામે આવ્યો છે.
સાજા થવાનો દર 99.02 ટકા
અત્યાર સુધી કોરોનાને કારણે 10946 મૃત્યુ થઈ ચૂક્યા છે. આજે રાજ્યમાં કુલ 85738 નાગરિકોનું રસીકરણ થયું છે.અત્યાર સુધી રાજ્યમાં કુલ 11.07 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 ટકાએ પહોંચી ગયો છે.7 દિવસમાં આવેલા કોરોનાના કેસની એવરેજ પ્રમાણે રોજ 145 કેસ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે તો 1 જુનથી 15 જુન સુધીમાં કુલ1470 કોરોના કેસ બહાર આવી ચૂક્યા છે તે ચિંતાનો વિષય છે.