આજે પણ કોરોનાનો આંકડો 100ને પાર, પણ ગત 5 દિવસ કરતા કેસોમાં થોડો ઘટાડો, મોત એક પણ નહીં
ગુજરાતમા કોરોના કેસમાં નજીવો ઘટાડો
આજે કોરોનાના 111 કેસ બહાર આવ્યા
ગુજરાતમાં ધીરે ધીરે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ સાવ શાંત પડેલા કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ આજે કોરોના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આજે કોરોનાના 111 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 832 પર પહોંચી છે. કુલ 57 લોકો કોરોનાને માત આપી હેમખેમ ઘરે પરત ફર્યા છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 58, વડોદરામાં 21, સુરતમાં 6 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 7 કેસ, ભાવનગરમાં 2 કેસ, આણંદ,કચ્છ,નવસારી તાપી અને મોરબીમાં એક એક કેસ સામે આવ્યો છે.
રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે મનસુખ માંડવિયાએ ચર્ચા કરી
રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે મનસુખ માંડવિયાએ ચર્ચા કરી હતી. ચર્ચામાં માંડવિયાએ રાજ્યોને ત્રણ મોટા નિર્દેશ આપ્યાં છે જેથી કરીને નવી લહેરમાં બાળકો અને વૃદ્ધો સુરક્ષિત રહી શકે. માંડવિયાએ રાજ્યોને કહ્યું કે સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારવું જોઈએ સાથે સાથે વૃદ્ધો માટે પણ પ્રીકોશન ડોઝ વધારવા પર ધ્યાન આપવું જોઈએ અને રાજયોએ જિનોમ સિકવન્સિંગ વધારે મજબૂત કરવું પડશે.
રાજ્યોને કેન્દ્રના 3 નિર્દેશ
(1) સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારો
(2) વૃદ્ધો માટે પણ પ્રીકોશન ડોઝ વધારવા પર ધ્યાન આપો
(3) જિનોમ સિકવન્સિંગ વધારે મજબૂત કરવું પડશે