રાજ્યમાં ચાર દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે 143 તો આજે 154 કોરોનાના કેસ નોંધાતા ગુજરાતીઓ ચિંતામાં મૂકાયા છે.
કોરોના કેસમાં સતત ચોથા દિવસે વધારો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 154 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 82 કેસ નોંધાયા
11 જૂન 2022ના રોજ ગુજરાતમાં નવા 154 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 82, વડોદરામાં 33 અને સુરતમાં 15 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 5, રાજકોટમાં 4, મહેસાણા અને વલસાડમાં 3-3 ભાવનગર, કચ્છ, આણંદ અને ભરૂચમાં 2-2, ખેડા જિલ્લામાં એક કેસ નોંધાયો છે.
આજે 58 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઇ છે, આ તમામની તબિયત સારી છે. તો રાહતના સમાચાર એ છે કે આજે કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1214463 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો 10945 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 99.05 ટકા છે.
જો તમારા બાળકનોને શરદી, ઉધરસ કે તાવ હોય તો શાળાએ ન મોકલતાઃ સુરત મનપા
ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવ્યું છે. સોમવારથી શરૂ થઈ રહેલી શાળાઓને લઈ મનપાના આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે. ડૉ. આશિષ નાયકે કહ્યું કે જો તમારા બાળકોને શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો હોય તો શાળાએ ના મોકલવા અપીલ કરી છે. તો વધતા કેસોને લઈ કોર્પોરેશને રેપિડ રિસ્પોન્સ ટીમને ફરી એક્ટિવ કરી દીધી છે. તેમજ લોકોને બૂસ્ટર ડોઝ લેવા પણ સુરત મનપાએ અપીલ કરી છે.
એસ.ટી અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે: AMC હેલ્થ ઓફિસર
અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થયો છે. ત્કોરોના કેસ વધતા મનપા આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. જેને લઇને AMC હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ નિવેદન આપ્યું છે કે પોઝિટિવ દર્દીઓને ટ્રેસ કરવાની કામગીરી ચાલુ છે. એસ.ટી અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે જુન મહિનાની શરુઆતથી શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલી જુનથી દસમી જુન સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ મળીને કોરોનાના 410 કેસ નોંધાવા પામ્યા છે.
દેશમાં 4 મહિના બાદ સૌથી વધુ કેસ
દેશમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા 4 મહિના બાદ દેશમાં એક દિવસમાં સૌથી વધુ કેસ કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ભારતમાં ગઇકાલે 8329 કેસ નોંધાયા હતા. જેમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 3081 કેસ, કેરળમાં કોરોનાના નવા 2415 કેસ અને 5ના મૃત્યુ, કર્ણાટકમાં 525, તમિલનાડુમાં 219, દિલ્હીમાં 655 અને હરિયાણામાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.26 ટકાએ પહોંચ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટનો દર પણ 1.50 ટકા પર પહોંચ્યો છે. દર્દીઓનો સાજા થવાનો દર સતત ઘટીને 98.70 ટકાએ પહોંચ્યો છે. દેશમાં કોરોના મૃત્યુદર 1.21 ટકા પર યથાવત્ છે. દેશમાં કુલ 194.77 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.