આજે ગુજરાતમાં 35 કોરોના કેસ સામે આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 148 થઈ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત હળવો વધારો
આજે રાજ્યમાં કોરોનાના વધુ 35 કેસ નોંધાયા
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના ના બરોબર થઈ ગયો છે. પણ ગત 24 કલાકમાં 35 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ પાટનગર ગાંધીનગરમાં 19 જેટલા કેસ એક સામટા આવી ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9 તો વડોદરામાં કોરોનાના 4 કેસ નોંધાયા તો જામનગરમાં એક, કચ્છ અને મહેસાણામાં એક-એક કેસ સામે આવ્યો છે. આજે કુલ 16 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 148 જેટલી થઈ ગઈ છે.
રાજ્યમાં વર્તમાન સ્થિતિમાં એકપણ દર્દીની હાલત ગંભીર નથી એટલે કે તો વેન્ટીલેટર પર 00 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 10942 મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે કુલ 12.12 લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાંજા થઈ ચૂક્યા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.09 ટકા પહોચ્યો છે તેમજ આજે રાજ્યમાં 37,995 નાગરિકોને રસીનો ડોઝ અપાયો છે.
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ભારતમાં ખૂબ ઝડપથી ફેલાતો હોય તેવું લાગતું નથી
ડૉ. એનકે અરોરાએ કહ્યું, 'કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિયન્ટ તેના ઘણા નવા સ્વરૂપોને જન્મ આપી રહ્યું છે. X શ્રેણીના પ્રકારોની જેમ, જેમાંથી એક XE તાણ છે. કોરોના વાયરસના નવા પ્રકારો આવતા રહેશે. ગભરાવાનું કંઈ નથી. આ ક્ષણે ઉપલબ્ધ માહિતી અનુસાર, તે ભારતમાં ખૂબ ઝડપથી ફેલાતો હોય તેવું લાગતું નથી.' WHO એ XE સ્ટ્રેઈનને Omicron વેરિયન્ટનાBA.1 અને BA.2 સ્ટ્રેઈનમાંથી ઉદ્દભવેલું છે. WHO અનુસાર, કોરોના વાયરસનો નવો XE સ્ટ્રેન Omicron કરતાં 10 ટકા વધુ ચેપી છે.
સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને કોવિડ વળતર માટે સમયમર્યાદા નક્કી કરી
સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને કોવિડ વળતર માટે સમયમર્યાદા નક્કી કરી છે. કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 24 માર્ચના રોજ એક આદેશમાં કહ્યું હતું કે, કોવિડ 19 મોતના વળતરના દાવા દાખલ કરવા માટે સમયમર્યાદા નિર્ધારિત કરી છે. જેમાં 20 માર્ચ પહેલા થયેલા મોત માટે 60 દિવસની અંદર પરિવારના લોકોએ દાવો કરવા જરૂરી છે. જ્યારે ભવિષ્યમાં કોઈ પણ મોત માટે ક્લેમ ફાઈલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. દાવાને સંસાધિત કરવા માટે અને દાવાની પ્રાપ્તિ માટે તારીખથી 30 દિવસના સમયગાળાની અંદર વળતર માટે વાસ્તવિક ચુકવણી કરવા માટે પહાલાના આદેશને લાગૂ કરવાનો ચાલુ રાખવામાં આવશે.
જો નિર્ધારિત સમયમાં અરજી કરી શકતા નથી તો...
તો વળી સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું છે કે, વધારે પડતી મુશ્કેલીઓના કેસમાં જ્યાં કોઈ દાવેદાર નિર્ધારિત સમય મર્યાદાની અંદર અરજી કરી શકતા નથી, દાવેદાર માટે ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરીને પૈનલના માધ્યમથી દાવો કરવા માટે ખુલ્લો હશે, જેના પર વિચાર કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે, મામલાના આધાર પર જો સમિતિ દ્વારા એ સામે આવે છે કે, એક વિશેષ દાવેદાર નિર્ધારિત સમયની અંદર દાવો નથી કરી શકતો, તો યોગ્યતાના આધાર પર વિચાર કરી શકાય છે.
નકલી દાવા કરનારા પર થઈ શકે છે મોટી કાર્યવાહી
વડી અદાલતે એ નિર્દેશ આપ્યા છે કે, નકલી દાવાના ભારણને ઓછુ કરવા માટે દાવા અરજીમાં 5 ટકા રેન્ડમ સિક્યોરિટી તપાસ કરવામાં આવશે. જો એવું સામે આવે કે કોઈએ નકલી ક્લેમ કર્યો છે, તો તેના પર ડીએમ અધિનિયમ 2005ની કલમ 52 અંતર્ગત વિચાર કરવામા આવશે અને તે અનુસાર તેને દંડીત કરવામાં આવશે.