આજે નવા 632 કેસ નોંધાયા, 384 દર્દી સાજા તો 6 વેન્ટિલેટર પર, એક્ટિવકેસની સંખ્યા 3289 પહોંચી
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો
છેલ્લા 24 કલાકમાં 632 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આજે નવા કોરોનાના વધુ 632 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. 384 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3289 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 6 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 262 કેસ, સુરતમાં 103 કેસ, વડોદરામાં 46 કેસ, વલસાડમાં 33 કેસ, ગાંધીનગરમાં 43 કેસ, મહેસાણામાં 30 કેસ, નવસારીમાં 18 કેસ, કચ્છમાં 14 કેસ, પાટણમાં 11 કેસ, ભાવનગરમાં 10 કેસ, દ્વારકામાં 7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, ભરૂચમાં 5 કેસ, આણંદમાં 4 કેસ, જામનગરમાં 4 કેસ, મોરબીમાં 4 કેસ, અમરેલીમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, બનાસકાંઠામાં એક કેસ, દાહોદમાં એક કેસ, ગીર સોમનાથમાં એક કેસ, પંચમહાલમાં એક કેસ,તાપીમાં એક કેસ નોંધાયો છે.
સાજા થવાનો દર 98.85એ પહોંચ્યો
અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 10947 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે આજે રાજ્યમાં કુલ 48047 નાગરિકોનું રસીકરણ થયું છે તો અત્યાર સુધી રાજ્યમાં કોરોના રસીના કુલ 11.14 કરોડથી વધુ ડોઝ આપી દેવાયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.85 ટકા પર પહોંચ્યો છે.