છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 117 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 517 પહોચી ગઈ
ગુજરાતમાં કોરોના વકર્યો
ફરી કોવિડ કેસોમાં મોટો વધારો
આજે 117 કેસ નોંધાતા તંત્ર સક્રિય
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 100થી વધુ કોરોનાના દૈનિક કેસ નોંધાતા તંત્રની સતર્ક થયું છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 517 પહોચી ગઈ છે.
કયા જિલ્લામાં કેટલા કેસ
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના વધુ 64 કેસ, વડોદરામાં 22 કેસ, સુરતમાં 10 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, રાજકોટમાં 3 કેસ, અમરેલીમાં 2 કેસ, મહેસાણામાં 2 કેસ સુરેન્દ્રનગરમાં 2 કેસ, વલસાડ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં એક-એક કેસ દાખલ તો ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં પણ એક કેસ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.
રસીકરણના આંકડા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકાએ પહોચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ 10944 દર્દીના મૃત્યુ થયા છે. તો આજે રાજ્યભરમાં કુલ 81,353 નાગરિકોનું રસીકરણ થયુ તો અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.04 કરોડથી વધુ ડોઝ અપાયા છે.
દેશમાં 7 હજાર 240 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંકટ યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 240 નવા કેસ સામે આવ્યા છે.તો 8 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. હાલમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 32 હજાર 498એ પહોંચી ગઈ છે.3 હજાર 591 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.