આજે કોરોનાએ સૌ ગુજરાતીઓને ચોંકાવી દીધા છે. આજનો આંકડો ફરી 100ને પાર પહોંચ્યો છે. જાણો આજે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.
આજે કોરોનાએ ગુજરાતીઓની ચિંતા વધારી
રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક ફરી 100ને પાર
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 111 કેસ નોંધાયા
તારીખ 8 મે 2022ના રોજ કોરોનાના ચોંકાવનારા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 97 દિવસ બાદ આજે કોરોના 100ને પાર પહોંચ્યો છે. છેલ્લે 3 માર્ચ 2022ના રોજ 128 કેસ નોંધાયા હતા. આજે 29 દર્દી સાજા થયા. સાજા થવાનો દર 99.07 ટકા થયો છે. હાલ રાજ્યભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 445 થઈ છે. જે તમામ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1214309 દર્દી સાજા થયા અને 10944 દર્દીના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 50 કેસ નોંધાયા છે. વડોદરામાં 25 કેસ, સુરતમાં 10 કેસ, રાજકોટમાં 9 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, વલસાડમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, જામનગરમાં 3 કેસ, મહેસાણામાં એક કેસ અને મોરબીમાં એક કેસ નોંધાયો છે.
રસીકરણની આજની માહિતી
રાજકોટ શહેરમાં થાઈલેન્ડથી પરત ફરેલ યુવકને કોરોના
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. રાજકોટ શહેરમાં થાઈલેન્ડથી પરત ફરનાર એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રાજકોટ શહેરમાં 7 દિવસમાં કોરોના 15 કેસ નોંધાયા છે. ગઈકાલે બે યુવાન અને 1 વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંક 15 પર પહોંચ્યો છે. ત્યારે કેસ વધતા રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે હજુ કેસ વધશે તો ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી 900 ટેસ્ટ થતાં હતા જે વધારી 1500 ટેસ્ટિંગ કરવા સૂચના અપાઈ છે. તેવું રાજકોટ મનપા કમિશનરે જણાવ્યું હતું.
અમદાવાદમાં કોરોના કેસ વધતા ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
અમદાવાદમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે. 20 દિવસથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કેસ વધતા ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે ડોમ શરૂ કરાયા છે. મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ફરી જરૂર મુજબ ડોમ ઊભા કરવામાં આવશે. ભીડવાળી જગ્યા પર ફરજિયાત માસ્ક પહેરવા AMCએ અપીલ કરી છે. તો સુરતમાં પણ ફરી એક વખત કોરોનાએ દસ્તક દેતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 5,233 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કારણે 7 લોકોના મૃત્યુ હતા. તો 3,345 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ભારતમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 28,857 પર પહોંચી છે.
વિશ્વમાં યથાવત કોરોનાનો પ્રભાવ
એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસ 5 લાખ 39 હજાર 143 નોંધાયા હતા. આજે કોરોનાથી 6 લાખ 40 હજાર 488 દર્દી સ્વસ્થ થયા હતા. તો આજે 1 હજાર 488ના મૃત્યુ થયા હતા. વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 26 લાખ 28 હજાર 65 પર પહોંચ્યા છે. તો કુલ કેસ 53 કરોડ 64 લાખ 65 હજાર 668 થયા છે. વિશ્વમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દી 50 કરોડ 75 લાખ 14 હજાર 350 અને વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 63 લાખ 23 હજાર 253 છે.