ગુજરાત રાજ્યમાં આજે ૮૩૩૮ કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતામાં વધારો થયો છે. ગઇકાલની સાપેક્ષે આજે કેસમાં વધારો થયો હતો. સામે મૃત્યુઆંક પણ વધ્યો હતો.
ગુજરાત રાજ્યમાં આજે ગઇકાલ કરતાં કેસમાં વધારો
આજે ૮૩૩૮ કેસ નોંધાયા અને ૩૮ મોત
સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૬૫૪ કેસ
આજે ફરી વધ્યા કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ૮૩૩૮ કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૬૫૪ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ૨૫૭ કેસ તો રાજકોટ શહેરમાં ૪૭૫ કેસ, વડોદરા શહેરમાં ૧૭૧૨ કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ૨૨૩કેસ, ભાવનગર શહેરમાં ૮૦ કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે ૩૮ લોકોએ દમ તોડ્યો છે જે ત્રીજી લહેરના સૌથી વધુ મોતનો આંકડો છે. જ્યારે ૧૬૬૨૯ દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૫૪૬૪ સુધી પહોંચી છે.
ગુજરાત રાજ્યમાં આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૪,૪૯,૧૬૫ લોકોનું રસીકરણ કરાયું છે. તો કોરોનાથી સાજા થવાનો દર ૯૨.૬૫ ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૦,૮૩,૦૨૨ કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં ૧૬,૬૨૯ કોરોના દર્દીઓ સાજા થયા હતા.
ગુજરાતમાં આજે ફરી કેસ વધ્યા
ગુજરાત રાજ્યમાં મૃત્યુઆંક ૩૮ થતાં ચિંતામાં વધારો થયો છે અને કેસ સંખ્યા પણ વધી છે. ગુજરાત રાજ્યમાં આજે ૮૩૩૮ કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતામાં વધારો થયો છે. ગઇકાલની સાપેક્ષે આજે કેસમાં વધારો થયો હતો. સામે મૃત્યુઆંક પણ વધ્યો હતો. જેના કારણે ફરી ટેન્શન વધ્યું છે.
ગઈકાલે કેવા હતા આંકડા?
ગુજરાતમાં આજે ૮૩૩૮ કેસ નોંધાયા છે ત્યારે છેલ્લા ગઈકાલે 6, 679 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા હતા પરંતુ આજે ફરી કેસ બિલ્લી પગે વધ્યા હોય તેવું લાગી રહ્યું છે. માટે ફરી ગુજરાતવાસીઓની ચિંતામાં વધારો થયો છે.