કોરોના સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 2 તેમજ દૂર કરવામાં આવેલ 24 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી
અમદાવાદમાં વધુ 2 વિસ્તારો માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં
24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા
સોમવારે અમદાવાદમાં 2350 કેસ
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર એ છે કે કોરોના કેસોની સાથે સાથે શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પણ એકી સાથે ઘટી રહ્યા છે આજે ફરી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2350 કેસ પોઝિટિવ આવ્યા છે પણ 15 દિવસ પહેલાના કેસની સરખામણી 5 ગણા ઓછા છે જે મોટી રાહતની વાત કહી શકાય. શહેરમાં 6 લોકો કોરોનાને કારણે મોતને ભેટયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 2 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 24 વિસ્તારોને નિયંત્રણમાંથી બહાર મૂકવામાં આવ્યા છે.
હાલમાં શહેરમાં કુલ 76 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.
ત્યારે #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 2 તેમજ દૂર કરવામાં આવેલ 24 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી. pic.twitter.com/Vb0mMgQt8l
હવે કુલ 76 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં
છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોન વકરતા અત્યારસુધી પૂર્વ ઝોનમાં જ વધુ મોટા ભાગના વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેમ જેમ સ્થિતિ સામાન્ય થઈ રહી છે તેમ તેમ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. હાલમાં શહેરમાં કુલ 76 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.નવા 2 વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ ઘરે ઘરે જઇ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
15 દિવસમાં અમદાવાદમાં નોંધાયેલા કોરોના કેસ
તારીખ
અમદાવાદ
તારીખ
અમદાવાદ
15 જાન્યુઆરી
2621
23 જાન્યુઆરી
6277
16 જાન્યુઆરી
3315
24 જાન્યુઆરી
4441
17 જાન્યુઆરી
4340
25 જાન્યુઆરી
5386
18 જાન્યુઆરી
5998
26 જાન્યુઆરી
5325
19 જાન્યુઆરી
8529
27 જાન્યુઆરી
4501
20 જાન્યુઆરી
9957
28 જાન્યુઆરી
4124
21 જાન્યુઆરી
8804
29 જાન્યુઆરી
4,066
22 જાન્યુઆરી
8332
30 જાન્યુઆરી
3653
આજે ગુજરાતમાં 6, 679 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 6, 679 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2350 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 277 કેસ તો રાજકોટ શહેરમાં 602 કેસ, વડોદરા શહેરમાં 809 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 288 કેસ, ભાવનગર શહેરમાં 76 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ દમ તોડ્યો છે જે ત્રીજી લહેરના સૌથી વધુ મોતનો આંકડો છે. જ્યારે 14,171 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 83,793 સંખ્યા સુધી પહોંચી છે.