દેશભરમાં કોરોના વાયરસને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે સૌથી વધારે મુશ્કેલી પરપ્રાંતિય શ્રમિકોમાં જોવા મળી રહી છે. પોતાનું વતન છોડી રોજગારી માટે બીજા રાજ્યમાં ગયેલા શ્રમિકો પરત જવા માટે કોઇને કોઇ રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે ગુજરતામાંથી પરપ્રાંતિય શ્રમિનો તેમના વતન મોકલવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ST બસ દ્વારા પ્રવાસી શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે.
અમદાવાદથી પ્રવાસી શ્રમિકને વતન મોકલાશે
કાલુપુરથી ST બસ દ્વારા મોકલવામાં આવશે વતન
કાલુપુર પાસે ST બસની લાગી લાંબી કતાર
રાજ્ય સરકાર દ્વારા હાલમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને રાજ્યના અનેક શહેરોમાંથી મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી હવે રાજ્ય સરકાર ST બસ દ્વારા પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવશે.
અમદાવાદથી બીજા રાજ્યોના પ્રવાસી શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઇને ST વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 30 જેટલી ST બસ આજે કાનપુર જવા માટે રવાના થશે.
આ ST બસમાં 2 હજારથી વધુ પ્રવાસી શ્રમિકોને વતન મોકલવામાં આવશે. શહેરના કાલુપુર વિસ્તારમાંથી આ બસો આજે કાનપુર જવા માટે રવાના થવાની છે. ત્યારે કાલુપુર પાસે ST બસની લાંબી લાઈન લાગી છે.