ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બરથી અમલ કરાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સત્તાવાર જાહેરાત કરી હતી.
આગામી 1 ડિસેમ્બરથી ગુજસીટોક અમલી બનશે
1 ડિસેમ્બરથી રાજ્યમાં ગુજસીટોકનું અમલીકરણ કરાશે
ગુનાહિત પ્રવૃત્તિ માટે કાયદો મદદરૂપ બનશેઃ પ્રદીપસિંહ
રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે તે હેતુથી ગુજરાત સરકારે GUJCTOC (ગુજસીટોક) કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો જેની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, આગામી 1લી ડિસેમ્બર 2019થી રાજ્યમાં ગુજસીટોકનું અમલીકરણ કરવામાં આવશે. ગુનાહિત પ્રવૃત્તિ માટે કાયદો મદદરૂપ બનશે.
ગુજસીટોક બીલ શું છે ?
2003માં ગુજરાત સરકારે ગુજકોક બીલ રજૂ કર્યું હતું
ગુજકોક બીલને નવા સ્વરૂપે ગુજસીટોક બીલ તરીકે રજૂ કરાયું
2015માં ગુજરાત વિધાનસભામાં બીલ પસાર થયું
આ બીલને મંજૂરી મળતા 1 ડિસેમ્બરથી ગુજરાતમાં તેનો અમલ થશે
ગુજસીટોક બીલ સંગઠીત ગુનાખોરીને ડામવા ઉપયોગી થશે
નવા બીલ મુજબ ફોન રેકોર્ડ કરીને પણ પોલીસ સંગઠીત સિન્ડીકેટને પકડી શકશે
પોલીસ અધિકારી સમક્ષ આપેલી કબૂલાત અંગે પણ ફેરવિચારણાં થઈ શકશે
પોન્ઝી સ્કીમને પણ ગુજસીટોક અંતર્ગત સમાવિષ્ટ કરાશે
અપહરણ, ખંડણી કે ધાક ધમકી આપીને રૂપિયા પડાવનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતને કેમ હતી જરૂર ?
ગુજરાત સરહદી રીતે સંવેદનશીલ રાજ્ય છે
પાકિસ્તાન દ્વારા સીમાપારના આતંક સામે રક્ષણ જરૂરી
ગુજરાતની માંગ હતી કે મહારાષ્ટ્રમાં મકોકાની જેમ ગુજરાતને અલગ કાયદો મળે
મકોકા લાગુ થવાથી મહારાષ્ટ્રમાં સંગઠીત ગુનાખોરી પર મહદઅંશે નિયંત્રણ હતું
ગુજરાતની દરિયાઈ સરહદનો સંગઠીત ગુનાખોરી માટે ઉપયોગ થઈ શકે એમ છે