ગત મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા વડગામના MLA જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. જે બાદ આજે બપોરે કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદના સારંગપુર પાસે આ અંગે વિરોધ કર્યો હતો.
જિગ્નેશ મેવાણીની ધરપકડ સામે વિરોધ
ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સારંગપુર આંબેડકર પ્રતિમા પાસે વિરોધ
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડનો વિરોધ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.જે મામલે આજે અમદાવાદના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતમિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત કોંગ્રેસ દ્વારા બપોરે 12 વાગ્યે અમદાવાદાના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનને લઈને સારંગપુર ખાતે ACP, PI, 10 જેટલી પોલીસની ગાડીઓ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
નેતાઓની અટકાયત કરતાં મહિલા કાર્યકરોએ રોડ પર બેસી ગઈ હતી
બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ બાબા સાહેબની આંબડેકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. જેને પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી. બીજી તરફ મહિલાઓ રોડ પર બેસી ગઈ હતી. તેમજ યુથ કોંગ્રેસે સારંગપુર ચાર રસ્તા નો રસ્તો રોકી લીધો હતો.
આસામમાં થયેલી ફરિયાદના આધારે આસામ પોલીસે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાત્રે જીગ્નનેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ.