ગુજરાત કોંગ્રેસમાં સારા નૈતૃત્વની રાહ જોવાઈ રહી છે એવામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
શંકરસિંહ વાઘેલાને લઈને ભરતસિંહનું નિવેદન
કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું
હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે
ગુજરાત કોંગ્રેસના હાલ અત્યાર બૂરા છે. કારણ કે, વિધાનસભામાં પણ ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે સંખ્યાબળ ઓછુ થઈ ગયુ છે એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રકાસ વળી ગયો છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. અને વિપક્ષના નેતાના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યુ છે.
શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા અને તાલુકામાં પંચાયતમાં વધુ બેઠકો જીતી હતી
મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.