અમદાવાદ, વડોદરા અને પાટણમાં કોંગ્રેસના સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે મોટા પાયે વિરોધ
ઉત્તર પ્રદેશ લખીમપુર ખીરીના મામલે કોંગ્રેસ આક્રમક
ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન
પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના મૃત્યુના મામલે કોંગ્રેસ આક્રમક થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિત સમ્રગ દેશમાં કોંગ્રેસ દ્વારા આક્રામક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતમાં પણ કોંગ્રેસે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તથા વડોદરામાં પણ ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈને આ ઉગ્ર આંદોલનમાં ભાગ લીધો હતો.
અમદાવાદ, વડોદરા અને પાટણમાં કોંગ્રેસે કર્યો વિરોધ
લખીમપુર ખીરીમાં ખેડૂતોના મૃત્યુનો મામલે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડા પહેરી વિરોધ કર્યો હતો, જ્યારે વડોદરામાં મોટી સંખ્યામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. શહેરના બગવાડા દરવાજા ખાતે એસટી બસ સહિત અન્ય વાહનોને રોકીને ભાજપ સરકારના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરામાં અમિત ચાવડાનું નિવેદન
ઉત્તરપ્રદેશમાં લખીમપુર મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, મંત્રીના દીકરાએ ગાડીથી કચડી ખેડૂતોની હત્યા કરી છે. કોંગ્રેસ નેતાઓને યુપી જતા રોકવામાં આવે છે. ખેડૂતોના સમર્થનમાં આજે-આવતીકાલે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરશે દિલ્લીમાં ખેડૂતો 1 વર્ષથી વિરોધ કરી રહ્યા છે સરકાર લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગઈકાલે થયેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં આજે શું થયું?
નેતાઓની અટકાયત કરાવીને ફક્ત ટીકૈતને લખીમપુર જવા દીધા
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો પરંતુ રાકેશ ટીકૈતે પોલીસ તંત્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન કરાવીને આ આખી આગ ઠારી નાખી હતી જોકે તેના માટે યોગી સરકારે એક ચાલ ચલી હતી. લખીમપુરમાં ખેડૂતો પરના અત્યાચારના સમાચાર વહેતા થયા બાદ પ્રિયંકા, અખિલેશ, જયંત ચોધરી સહિતના બીજા કેટલાક રાષ્ટ્રીય નેતાઓ લખીમપુર તરફ નીકળી પડ્યાં હતા પરંતુ યોગી સરકારે તાબડતોબ કાર્યવાહી કરીને પ્રિયંકાને સીતાપુરમાં, ચંદ્રશેખર આઝાદને સીતાપુર ટોલ પ્લાઝા પર અને શિવપાલ, અખિલેશ અને જયંત ચોધરીને લખીમપુર પહોંચતા પહેલા અટકાયતામાં લઈ લેવાયા.
રાકેશ ટીકૈતે વચ્ચે પડીને તંત્ર સાથે ખેડૂતો સંગઠનોનું સમાધાન કરાવ્યું
લખીમપુર જવાની જાહેરાત કરનાર લગભગ તમામ નેતાઓને અટકાયતમાં લઈ લેવાયા. યોગી સરકારે ફક્ત ખેડૂત નેતા રાકેશ ટીકૈતને લખીમપુર જવાની પરમિશન આપી અને રાકેશ ટીકૈતનું લખીમપુરમાં જવું યોગી સરકાર માટે મોટી રાહત બની. રાકેશ ટીકૈત ગાઝીપુર બોર્ડરેથી રાતના જ લખીમપુર જવા રવાના થઈ ગયા અને મોડી રાતે લખીમપુરના તિકુનિયાના ગુરુદ્વારામાં પહોંચ્યાં જ્યાં ચાર ખેડૂતોની લાશ રખાઈ હતી. ખેડૂતો મૃતકોના પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતા. પરંતુ રાકેશ ટીકૈતે વચ્ચે પડીને તંત્ર સાથે ખેડૂતો સંગઠનોનું સમાધાન કરાવ્યું.