ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની થયેલી હત્યા મામલે ગુજરાત કોંગ્રેસના આજે ધરણા, સવાર 10 વાગ્યાથી કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસે કરશે મૌન ધરણા
અમદાવાદમાં કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ
લખીમપુરની ઘટના મુદ્દે કોંગ્રેસના મૌન ધરણા
પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં ધરણા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસા બાદ 8 લોકોના મોત નિપજ્યા હતો, જેને લઈને ગુજરાત કોંગ્રેસે આજે ધરણા કાર્યક્રમ કરવા જઈ રહી છે. ખીરીમાં હિંસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અડફેટમાં લેતા 4 લોકોના મોત નિપજ્યા હતા જે બાદ હિંસા વધુ ભડકી હતી જો કે હિંસા બાદ રાજકારણ ગરમાયું છે, યુપીના ખીરીની અનેક નેતાઓ પીડિયાત ખેડૂતો અને મૃત્યું પામેલા ખેડૂતોના પરિવારજનોની મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મુલાકાત માટે રોક લગાવી દેવામાં આવતા રાજકારણમાં વધુ ગરમાવ્યો આવ્યો હતો.
લખીમપુરની ઘટના મુદ્દે કોંગ્રેસના મૌન ધરણા
આજે લખીમપુર ખીરીની ઘટનાને 7 દિવસ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિરોદ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ખીરી ઘટના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર નિશાન સાંધતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની થયેલી હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ આંદોલન કરશે, જેને પગલે આજે સવાર 10 વાગ્યાથી જ કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે.
પાલડીના કોચરબ આશ્રમ ખાતે ધરણા
વધુમાં કોંગ્રેસ નેતા પણ નિવેદનમાં જણાવ્યું છે કે ખીરીમાં કેન્દ્રીય સરકારના મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડીને તેમની હત્યા કરી નાંખી, તેમજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચ્યા તો યુપી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અને સીતાપુર ગેસ્ટ હાઉસમાં રોકી રાખવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે ભાજપ સરકારને સવાલ કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર શું છુપાવવા માંગે છે ? કેમ વિપક્ષના નેતાઓને એન્ટ્રી નથી આપવામાં આવી રહી ?
પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં ધરણા
આમ ખીમપુર ખીરીને ઘટનાને લઈ આજે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવશે, સવારે 10 વાગ્યે કોંગ્રેસ અમદાવાદ કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માની આગેવાનીમાં મૌન ધરણા કરશે, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ ધરણા કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીના રાજીનામાને માંગ કરવામાં આવશે સાથે દોષિતોની ત્વરિત ધરપકડની માંગ પણ કરશે.