ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. જેને લઇને પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે કોંગ્રેસના નેતાઓએ સભા સંબોધી હતી. કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો.
પાટનગરમાં કોંગ્રેસ અને કાર્યકરો વચ્ચે પોલીસ ઘર્ષણ
સત્યાગ્રહ છાવણી પાસે કોંગ્રેસના નેતાઓ સભા સંબોધી
પોલીસે પાણીનો મારો કર્યો, નેતાઓની કરી અટકાયત
રાજ્ય સરકાર સામે બેનર સાથે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું. જો કે રાજ્ય સરકારને ઘેરવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી.
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડીઓના કાંચ તોડ્યા હતા, ત્યાર બાદ પોલીસે કાર્યકરો પર પાણીનો માર્યો કર્યો હતો. આ સાથે પાણીનો મારો કરીને પોલીસે વિધાનસભા તરફની કોંગ્રેસ કૂચને અટકાવી હતી. આ સાથે જ પોલીસે અમિત ચાવડા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અટકાયત પણ કરી હતી.
ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વિધાનસભા સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે અને અન્ય કેટલીક માગ સાથે કોંગ્રેસ નેતાઓ માર્ગો પર ઉતર્યા હતા.
જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. તો કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ પોલીસના વાહન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા. તો બીજી તરફ પોલીસે પણ કાર્યકર્તાઓ પર પાણીનો મારો કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ઘર્ષણના મામલે પોલીસે નિવેદન આપ્યું છે. કોંગ્રેસદ્વારા મંજૂરી વિના રેલી કાઢવામાં આવીહતી. પથિકાશ્રમ પાસે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા બેરીકેડ ખસેડીને ઘુસવાનો પ્રયાસ કરાયો હતો. જો કે કાર્યકર્તાઓ કરતા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે અમિત ચાવડા, પરેશ ધાનણી સહિતના તમામ ધારાસભ્યોની અટકાયત પણ કરી હતી.