રવિવારે યાત્રાધામ ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના દર્શને કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાથીજી મંદિરની બહાર તલવારબાજી કરી હતી.
યાત્રાધામ ફાગવેલમાં જગદીશ ઠાકોરની તલવારબાજી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થકો ઉમટ્યા
કોંગ્રેસના પ્રદેશ આગેવાનો પણ ફાગવેલમાં રહ્યા હાજર
આજે(રવિવાર) ખેડામાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 2 કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. ખેડાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મુલાકાત લીધી હતી. રણછોડજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી છે. આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો જન્મદિવસ પણ ડાકોરમાં ઉજવાયો હતો. તો બીજી તરફ યાત્રાધામ ફાગવેલમાં ભાથીજી મહારાજના મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની જાણીતી તલવારબાજી કરતા જોવા મળ્યા હતા. જગદીશ ઠાકોરે તલવાર બાજી કરતાં કરતાં કોંગ્રેસના ભરતસિંહ અને નેતાઓને ભેટ્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થકો ઉમટ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ આગેવાનો પણ ફાગવેલમાં હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં જીતનો હુંકાર કર્યો.
ફાગવેલ ભાથીજી મહારાજના આશીર્વાદ સાથે ધ્વજા આરોહણ કર્યું હતું. ભાજપ પર પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, 2022 ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. 27 વર્ષ બાદ ભાજપને રાજ્યમાંથી મુક્ત કરાશે તેવો દાવો કર્યો છે.
રવિવારે ડાકોર મંદીરમા કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કૉંગ્રેસના પુર્વ ગૂજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કૉંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્મા, પુર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રણછોડજીના આશીર્વાદ લીધા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા ના જન્મદિવસ પ્રસંગે સૌની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીના સંકલ્પ સાથે ડાકોરધામમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ... pic.twitter.com/myjR9tp1i7