આજે શિક્ષકોની સર્જ્જતા સર્વેક્ષણ કસોટી લેવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે
અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર
TET, TATના પ્રમાણપત્ર આજીવન કરવા માંગ
47 હજારથી વધુ TET પાસ ઉમેદવારો બેરોજગાર
આજે શિક્ષકોની સર્જ્જતા સર્વેક્ષણ કસોટી લેવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખતા શિક્ષકોની લેવામાં આવતી TET, TAT પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો CMને પત્ર
મહત્વનું છે કે શિક્ષણ વિભાગે શિક્ષક સજજ્તા કસોટી લેવાની જાહેરાત કરતાં બે શિક્ષક સંઘ સામસામે આવી ગયા છે. જેને લઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી ખુસાલો કરવો પડ્યો હતો કે આ કસોટી ફરજીયાત નથી, અને જે શિક્ષકો આ કસોટી આપવા માગે છે તેઓ આપી શકે છે સજ્જતા કસોટીતો લેવાશે જ ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી શાળામાં શિક્ષકોની ભરતી કરવા અને ટેટ પાસ ઉમેદવારોને ન્યાય આપવાની માંગ પણ કરી છે.
TET, TATના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવા માંગ
સરકાર પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને અમિત ચાવડાએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર હંમેશા શિક્ષણમાં ખાનગીકરણને પ્રાથમિકતા આપતું રહ્યું છે. શિક્ષણના સ્તરને સુધારવા માટે સરકારની નિયતમાં ખોટ છે. સરકારે શિક્ષકની સજ્જતા ચકાસવાને બદલે પોતાની પ્રામાણિકતાપૂર્વકના અભિગમને સ્પષ્ટ કરવી જોઈએ.
સરકારી પ્રાથમિક શાળામાં 10 હજારથી વધુ જગ્યા ખાલીનો હોવાનો પત્રમાં ઉલ્લેખ
અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં 10 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તેમજ રાજ્યમાં 47 હજારથી વધુ ટેટ પાસ ઉમેદવારની છેલ્લા 4 વર્ષથી ભરતી કરવામાં આવી નથી, મહત્વનું છે કે સરકારે વર્ષ 2018-19માં 6 હજાર વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાંથી 23 ઓક્ટોબર 2019માં માત્ર 3262 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે. ત્યારે શિક્ષકોની ભરતી ન કરાતા અનેક વિદ્યાસહાયકોની વયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેમજ 2 લાખ જેટલા TET પાસ ઉમેદવારોનું જીવન અંધકારમય બની રહ્યું છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરી છે.