મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ ભડાકાના એંધાણ વર્તાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષથી નારાજ છે અને આથી તેઓ બગાવત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.
મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ ભડાકાના એંધાણ
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષથી નારાજ છે
ગુજરાત કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે
ગુજરાત રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસમાં પાટીદાર અને OBCના નેતાઓ આમને સામને આવી ગયા છે. રાજ્યસભાની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર અને ઓબીસી સમાજ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો ભાજપની નેતાગીરી સંપર્કમાં છે.
ત્યારે ગુજરાતની રાજ્યસભા બેઠકને લઇને પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓ આમને સામને આવી ગયા છે. આમ મધ્યપ્રદેશની જેમ ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં પણ ભંગાણના એંધાણ વર્તાઇ રહ્યા છે. કોંગ્રેસથી નારાજગીના પગલે કેટલાક ધારાસભ્યો પક્ષ પણ છોડી શકે છે.
નોંધનીય છે કે, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઇ શકે છે. મધ્યપ્રદેશમાં પાર્ટીના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલું રાજીનામુ સાર્વજનિક કર્યું છે. સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થક જુથમાંથી 20 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે.