3 મહામંત્રી, 10 મંત્રી, 7 જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ આ અગાઉ 13 જિલ્લા પ્રમુખોની જાહેરાત ગુજરાત કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી હતી
પરિવર્તનનું પહેલું પગથિયું કેટલું કારગર?
વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ સક્રિય
જનરલ સેક્રેટરી, સેક્રેટરી અને જિલ્લા પ્રમુખની કરાઈ જાહેરાત
ગુજરાતમાં પડી ભાગેલી કોંગ્રેસને બેઠી કરવા ગત મહિનાના અંતમાં દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રાણ પ્રશ્નોને લઈ વિધાનસભામાં પંજો પાળવા આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસે મહિલા હોદ્દેદારોની કનિમણૂક કરી દીધી છે. 3 મહામંત્રી, 10 મંત્રી, 7 જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ છે.
પાટણ, જૂનાગઢ, રાજકોટ, મોરબી સહિત 7 જિલ્લાના મહિલા પ્રમુખો જાહેરાત કરવામાં આવી છે જ્યારે 10 મહિલાઓની સેક્રેટરીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.
કોણે શું જવાબદારી સોંપવામાં આવી?
અમદાવાદ શહેર કોંગ્રેસમાં અઝરાબેન કાદરી મહામંત્રીકે નિમણૂક
રેખા સોલંકીને સાબરકાંઠા કોંગ્રેસના મહામંત્રી બનાવાયા
અઝરા કાદરી, રેખા સોલંકી, પૂજા નકુમને જનરલ સેક્રેટરી તરીકે જાહેર
તમામ માળખું માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવાશે
રાજ્યમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનુ નવુ માળખુ તૈયાર કરવા જઈ રહ્યુ છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં કોંગ્રેસનુ માળખુ જાહેર કરાઈ શકે છે. જે અલગ અલગ 3 તબક્કામાં જાહેર કરાય તેવી શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ તબક્કામાં માળખુ જાહેર કરવા પાછળનુ કારણ, નેતાઓની નારાજગીને ટાળવાનુ જાણવા મળી રહ્યુ છે. આ સાથે પાર્ટીનુ શીર્ષસ્થ નેતૃત્વ એ વાતને લઈ અસમંજસની સ્થિતિમાં છે કે, પાર્ટીના નિષ્ક્રિય નેતાઓને સંગઠનમાં સમાવવા કે નહી. આપને જણાવી દઈએ કે, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફેબ્રુઆરી માસમાં જણાવ્યુ હતુ કે, મહિનાના અંત સુધી સંગઠનનુ માળખુ જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી સંગઠનને લઈ કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી.
તો બીજી તરફ કોંગ્રેસ તૂટી..
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ કોંગ્રેસના આગેવાનો સાથ છોડી રહ્યા છે.સાબરકાંઠા જિલ્લાના વધુ કેટલાક નેતાઓ ભાજપમાં આજે જોડાયા છે.સાબર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન ડિરેકટર સહિતના હોદ્દેદારો કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલની આગેવાનીમાં સી આર પાટીલની હાજરીમાં જોડાયા છે.આ સમયે પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે, કોંગ્રેસ છોડીને જે ભાજપમાં આવે છે.તે સેવા કરવા માટે આવે છે.આપ સૌ જોડાયા છો ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડે એ જરૂરી છે.ગ્રામીણ વિસ્તારને જોડવા માટે આ જરૂરી છે.