ગુજરાતના રાજકારણમાં વધુ એક મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખાસ કરીને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાતના રાજકારણમાં વધુ એક મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખાસ કરીને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે અપક્ષમાંથી ચૂંટાયા બાદ ભુપેન્દ્ર ખાંટે કોંગ્રેસને સપોર્ટ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ આદિજાતિ સર્ટિફિકેટના વિવાદને લઈને રદ્દ કરવામાં આવ્યું છે. આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિ પ્રમાણપત્રના મુદ્દે ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ્દ કર્યુ છે.
કોંગ્રેસને મોટો ફટકો
ભૂપેન્દ્ર ખાંટ અપક્ષમાંથી ચૂંટાયા હતાં પરંતુ તેમણે જીત બાદ કોંગ્રેસને સપોર્ટ જાહેર કર્યો હતો. આવામાં વધુ એક ધારાસભ્યનું પદ રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ અગાઉ જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો બીજી અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યો પણ બળવાખોર બન્યાં છે ત્યારે કોંગ્રેસ માટે ચિંતામાં વધારો થયો છે.
મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા રચેલ ખાસ સમિતીએ ગત જાન્યુઆરી મહિનામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. સમિતિએ જાહેર કર્યું હતું કે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી, જેથી તેમને મળેલ આદિવાસી સર્ટીફિકેટ રદ્દ કરવામાં આવે છે. જેથી તેમની મુશ્કેલીઓ ત્યારથી જ વધી ગઈ હતી, તેમણે જે પ્રમાણપત્રના આધાર પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેને લઈને પણ પ્રશ્નો ઉભા થયાં હતાં. આ મુદ્દે ભુપેન્દ્રસિંહ સિંહે કહ્યું હતું કે, સમિતિના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ભુપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ આદિવાસી બન્યા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા છે.