રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવશે. જો કે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપની તોડજોડની નીતિથી બચવા કોંગ્રેસ આ નિર્ણય કર્યો છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વનો નિર્ણય
હવે તમામ ધારાસભ્યોને ખસેડાશે જયપુર
ભાજપની તોડજોડની નીતિથી બચવા કોંગ્રેસે કર્યો નિર્ણય
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી ગઇકાલે 4 ધારાસભ્યોના રાજીનામાં બાદ આજે એક વધુ ધારાસભ્યનું રાજીનામું આપ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ લગાવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપતાં કહ્યું કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચાલે છે. કોરોના વાયરસને લઇને વિધાનસભા સત્ર ટૂંકાવવાની વિપક્ષે માંગ કરી હતી. જો કે વિપક્ષની માગ સતાપક્ષ દ્વારા સ્વીકારવામાં આવી નહોતી. જો કે કોંગ્રસ દ્વારા ગૃહની કામગીરીનો બોયકોટ કરવામાં આવ્યો.
રાજ્યની વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો પડઘો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે અમારા પાંચ ધારાસભ્યોની જિંદગી પુરી નાંખી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાજીનામાનું નાટક રચાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીના ઘરે 65 કરોડમાં સોદો થયો હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો. જો કે તેને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઇને નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની લડાઇમાં રાજીનામાં પડ્યાં છે.