કોંગ્રેસને કોરોનાની કાળી નજર લાગી ગઈ છે એક પછી એક નેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. ત્યારે રાજ્યના ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. દાંતાના MLA કાંતિ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ હવે રાજ્યમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે કેટલાક નેતાઓ કોરોનાને માત પણ આપી ચૂક્યા છે.
ગુજરાતના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાંતિ ખરાડીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 7 ધારાસભ્યો કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે.
કોંગ્રેસના નેતાઓમાં ભરતસિંહ સોલંકી, ગનીબેન ઠાકોર, ચિરાગ કાલરીયા, મૌલિન વૈષ્ણ, ચેતન રાવલ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. જો કે ભરતસિંહ સોલંકી હજુ પણ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા કોરોનાને આપી માત ચૂક્યા છે
મહત્વનું છે કે, આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે શંકરસિંહ વાઘેલા કોરોનાને માત આપી ચૂક્યા છે. શંકરસિંહ સ્વસ્થ થતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.