વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ જૂન મહિનામાં કોંગ્રેસ 4 ઝોનમાં 4 મોટી સભા કરી શકે છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં
જૂન મહિનામાં કોંગ્રેસ 4 ઝોનમાં 4 મોટી સભા કરી શકે છે
દરેક સભામાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી હાજર રહેશે
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઇ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. જેમાં જૂન મહિનામાં કોંગ્રેસ 4 ઝોનમાં 4 મોટી સભા કરી શકે છે. દરેક સભામાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી હાજર રહેશે.
4 સભાઓ માટે ગુજરાત કોંગ્રેસ 4 ઝોનમાં બેઠક કરશે
જણાવી દઇએ કે, 4 સભાઓ માટે ગુજરાત કોંગ્રેસ 4 ઝોનમાં બેઠક કરશે. 19મેના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં મહત્વની બેઠક યોજાશે. 21મેના રોજ દક્ષિણ ઝોન માટે સુરતમાં બેઠકનું આયોજન કરાયું છે. 22મેના રોજ મધ્ય ઝોન માટે વડોદરામાં કોંગ્રેસની બેઠક યોજાશે. 23મેના રોજ ઉત્તર ઝોન માટે મહેસાણામાં મહત્વની બેઠક યોજાશે. તમામ ઝોનની બેઠકમાં 1500થી બે હજાર આગેવાનો હાજર રહેશે. લોકસભા, વિધાનસભા અને મહાપાલિકાની ચૂંટણી લડેલા લોકો બેઠકમાં હાજર રહેશે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે.
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચિંતન શિબિર કરી રહ્યાં છે. જો કે કોંગ્રેસની ચિંતનશિબિર તેમના પડકારોને લઇને છે જ્યારે ભાજપની શિબિર તેમની આગામી રણનીતિને લઇને છે. કોંગ્રેસ તેનો પંજો ફરી મજબૂત કરવા મથી રહ્યું છે. ભાજપ તેમના વિજયરથને આગળ ધપાવવા ચિંતન કરી રહ્યું છે.
ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે હલચલ
નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નો રિપિટની થિયરીનો પ્રયોગ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને AAP વચ્ચે ત્રી-પાંખીયો જંગ ખેલાશે.ત્યારે હવે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ બાદ કોંગ્રેસે પણ નો-રિપિટીની થિયરી અપનાવી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ સર્જાઈ રહ્યાં છે.
વારંવાર હારતા ઉમેદવારોને બદલશે કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, હાલ રાજસ્થાનના ઉદયપુરમાં હાલ કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ચિંતિન શીબર ચાલી રહી છે. જેની વચ્ચે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ભાજપ બાદ કોંગ્રેસ પણ આગામી ચૂંટણી માટે નો-રિપિટ થિયરીનો નિર્ણય લીધો છે. એટેલે કે, 3-4 વખતથી હારનારાઓને ટિકિટ નહીં મળે. આ સાથે કોંગ્રેસ માત્ર ઉમેદવાર જ નહિ તે જ્ઞાતિને પણ બદલશે. તેમજ
જ્ઞાતિના ઉમેદવાર વારંવાર હારે છે તે જ્ઞાતિના ઉમેદવારને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
નો રિપીટ થિયરી' શું છે?
'નો રીપીટ થિયરી' એટેલ એક પણને પુન; સ્થાન ના આપવું. ગુજરાતના પૂર્વ નેતાઓને મંડળમાં રાજ્ય કે કેબીનેટ કક્ષાના મંત્રી પદે રહેલા ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન ના આપવું એટલે 'નો રીપીટ થીયરી'.