ગુજરાત કોંગ્રેસમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પહોંચ્યાં છે
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્લી
જગદીશ ઠાકોર,ભરતસિંહ પહોંચ્યા દિલ્લી
હાઈકમાન્ડ સાથે નરેશ પટેલ મામલે ચર્ચા સંભવ
ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યાં દિલ્લી
ગુજરાત કોંગ્રેસમાં હાલ ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ અને પ્રભારી રઘુ શર્મા એકા-એક દિલ્હી પહોંચ્યા છે.
નરેશ પટેલની કોંગ્રેસ એન્ટ્રી માટેનો મુદ્દો ચર્ચાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બાદ બંન્ને નેતા દિલ્હી પહોંચ્યા છે. ઉલ્લેખની છે કે દિલ્હીમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્મા કોંગ્રેસના સિનિયર નેતા કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગાંધી પરિવારના સભ્યો ગુજરાત પ્રવાસ પર છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત નરેશ પટેલ અંગે પણ બેઠકમા ચર્ચા થશે. તો બીજી તરફ અચાનક ગુજરાત પ્રભારી અને ગુજરાત પ્રમુખને દિલ્હી પહોંચતા અનેત તર્ક વિતર્ક શરૂ થયા છે.
ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ સાથે કરી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગીનો અંત ગત બુધવારે આવી ગયો હતો. હાર્દિક પટેલે ગત બુધવારે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. જે બાદ ગુજરાત કોંગ્રસેમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ સાથે ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ સાથે કરી હતી