બપોરે 2 વાગે ગાંધીનગરમાં આવેલા રાજભવન ખાતે રાહુલ ગાંધીની ED દ્વારા થતી પૂછપરછના વિરોધ અંગે ઘેરાવ કરશે
કોંગ્રેસ આજે રાજભવનનો કરશે ઘેરાવ
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો કરશે ઘેરાવ
નેશનલ હેરાલ્ડ કેસમાં સતત રાહુલ ગાંધીની ઇડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સ્થાનો પર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.. 13 જૂને અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય માં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પરિસરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના સમર્થનમાં દેખાવ કર્યા. જે બાદ આજે કોંગ્રેસ રાજભવનનો ઘેરાવ કરશે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. બપોરે 2 વાગે ગાંધીનગરમાં આવેલા રાજભવન ખાતે રાહુલ ગાંધીની ED દ્વારા થતી પૂછપરછ અને કોંગ્રેસને વિરોધની પણ મંજૂરી ન મળતીહોવાના મુદ્દા સાથે દેખાવો કરશે.
રાહુલ ગાંધીને હજૂ ED ઓફિસ જવુ પડશે
EDએ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવ્યા
ED દ્વારા 17 જૂનના ફરી રાહુલ ગાંધીને બોલાવાયા
છેલ્લા 3 દિવસથી ED રાહુલ ગાંધીની કરી રહ્યું છે પૂછપરછ
રાહુલ ગાંધી સામેની કાર્યવાહીને લઈને રસ્તા પર ઉતરી કોંગ્રેસ
દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે કોંગ્રેસ
ક્રિષ્ના અલ્લવરુંની અધ્યક્ષતામાં મળશે યુથ કોંગ્રેસની કારોબારી
આજે ગુજરાત યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળશે. આંતરિક વિખવાદને ખાળવા યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ ક્રિષ્ના અલ્લવારુના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે.ગુજરાત યુથ કોંગ્રેસના તમામ પદાધિકારીઓ હાજર રહેશે.કેટલાક જિલ્લા પ્રમુખોએ યુથ કોંગ્રેસની અટકાવી કામગીરી છે તેમજ હાર્દિક પટેલના કોંગ્રેસ છોડ્યા બાદ માળખાને વ્યવસ્થિત કરવા માટે આ કારોબારી બેઠક યોજાશે. જિલ્લા પ્રમુખ અને વિધાનસભાના નિરીક્ષકો પણ બેઠકમાં રહેશે હાજર
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ 1938 માં શરૂ કરવામાં આવેલું એક વર્તમાનપત્ર હતું જે ખરેખર તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં મગજની ઉપજ હતું. 1947 માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તેમણે કારભાર સંભાળ્યો ત્યાર પછીથી અખબરનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની વિચારધારાને આકાર આપવામાં આ વર્તમાન પત્રએ મોટો ભાગ ભજવ્યો હતો. અંગ્રેજી અખબારોમાં તે એક મહત્વનું અને અગ્રણી વર્તમાન પત્ર બની ગયું હતું. તેને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નાણાકીય મદદ મળતી રહી હોવાની ચર્ચા છે. હિન્દીમાં નવજીવન, ઉર્દુમાં કોમી અવાજ અને ઈંગ્લીશમાં નેશનલ હેરાલ્ડ એસોસીએટેડ જર્નલ દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા.
ધીમે ધીમે આ ન્યૂઝપેપર્સનું વેચાણ ઓછું થઈ જતાં વર્તમાન પત્ર પર 90 કરોડનું દેવું થઈ ગયેલું.
પરંતુ 2008 માં આ ન્યૂઝપેપરે પોતાનું કામકાજ બંધ કર્યું હતું અને 2016 માં તેનું ડિજિટલ પબ્લિકેશન શરૂ થયું હતું. આ દેવું ભરપાઈ કરવા માટે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી. જેમાં મોટા ભાગની માલિકી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગાંધીનાં નામે હતી. તેમણે એસોસીએટેડ જર્નલને ખરીદી લીધી અને ત્યાંથી ફૂટ્યો કૌભાંડનો ભાંડો.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક PIL નાખી અને કોંગ્રેસનાં નેતાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
તેમણે 2012 માં દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડીસ, સામ પિત્રોડા અને સમન દુબે પર નુકસાનમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરને છેતરપિંડીથી અને પૈસાની હેરફેરીથી હડપ કરી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આરોપાનુસાર કોંગ્રેસી નેતાઓએ નેશનલ હેરાલ્ડની સંપતિઓ પર કબજો જમાવી યંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે YIL નામનું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું અને તેના દ્વારા નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરનાર એસોસીએટેડ જર્નલ લિમિટેડ એટલે કે AJLનું ગેરકાનૂની રીતે ટેક ઓવર કરી લીધું હતું.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે 2000 કરોડની કંપનીની બિલ્ડિંગ પર કબજો જમાવવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે હજારો કરોડની કંપનીને માતર 50 લાખ રૂપિયામાં કેવી રીતે ખરીદવામાં આવી? આ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ સામે તેમણે કેસ ચલાવવાની માંગ કરી હતી. આ મામલે 2015 માં ED દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 2015 માં દિલ્હીની પટિયાલા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા.
કેટલી સજા થઈ શકે?
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે આ કેસમાં આરોપીઓને 8 વર્ષની સજા થાય તેવી શક્યતા છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી