કોંગ્રેસને કોરોનાની કાળી નજર લાગી ગઈ છે એક પછી એક નેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યસભા ઈલેક્શન બાદ અત્યાર સુધીમાં ચાર નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લઇને આવી કોરોના
ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત
ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ કોરોના પોઝિટિવ
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા કોરોના સંક્રમિત થયા છે. ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા છે. તો ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મૌલિન વૈષ્ણવ, ચેતન રાવલને પણ કોરોના થયો છે.
તો બીજી તરફ કોંગ્રેસના અનેક નેતાઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ હોમ ક્વોરન્ટાઇન છે. તો લાખાભાઈ ભરવાડ, હિમ્મતસિંહ પટેલ પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે. જ્યારે અમિત ચાવડાએ MLAને તકેદારી રાખવા સલાહ આપી છે. લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવવા પણ કહેવાયું છે. અમિત ચાવડાએ પણ કોરોના રિપોર્ટ કરાવ્યો છે.
કોંગ્રેસના વધુ એક નેતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાને કોરોના થયો છે. ગઇકાલે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચિરાગ કાલરીયા ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા હતા.