વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઈ છે ત્યારે આ તરફ ગુજરાત કોંગ્રેસના પીઢ નેતાના ટ્વીટથી રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.
કોંગ્રેસના પ્રવક્તા જયરાસિંહનું સુચક ટ્વીટ
કોંગ્રેસમાં સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્ય મુદ્દે કર્યું ટ્વીટ
કોંગ્રેસમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યોનું જ ચાલે છે - જયરાજસિંહ
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સૂચક નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આ ટ્વીટમાં તેમણે સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો મુદ્દે કર્યું હતું. જેને લઈને રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
કોંગ્રેસ નેતા મનહર પટેલનું જયરાજસિંહને સમર્થન
જયરાજસિંહ પરમારના ટ્વીટને કોંગ્રેસ નેતા મનહર પટેલનું સમર્થન આપ્યું છે, બીજા પ્રવક્તાએ ટ્વીટ કરીને હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે,મને ડર લાગે છે કે સાચા કોંગ્રેસી ઘરે ન બેસી જાય. તો તેમણે સવાલ પણ કર્યો હતો કે, બોટાદ જિલ્લા પંચાયતમાં કોના કહેવાથી બધા ફોર્મ રદ થયા?
મને ભયંકર ડર લાગી રહ્યો કે કઇ એવુ ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય .બોટાદની જીલ્લા પંચાયતની ચુંટણીમા તમામ ફોમઁ રદ થયા કોણ જવાબદાર ? તેમ છતા પક્ષમા કોઇ ગંભીર ચચાઁ જ નહી કોઇ ચિંતન નહી, માનનીય પ્રમુખશ્રી/ પ્રભારી સહીતને કાગળ પર ધ્યાન દોયુઁ છે... https://t.co/QnsWljUWjD
જયરાજસિંહ કોંગ્રેસના પ્રવક્તા છે
કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની દિશા બતાવતા રહે છે
જયરાજસિંહનો કહેવાનો મતલબ છે કે કોંગ્રેસમાં સંગઠનનું ચાલતું નથી
હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ કથીરિયાને મનાવવા ગયા હતા
સુરતના અલ્પેશ કથીરિયા પાસના નેતા છે
ધારાસભ્ય લલિત કથગરા, લલિત વસોયા અલ્પેશ પાસે ગયા હતા
ધારાસભ્ય કિરીટ પટેલ, પ્રતાપ દુધાત પણ અલ્પેશ પાસે ગયા હતા
અલ્પેશમાં કોંગ્રેસ પાર્ટીમાં લાવવા માટે મથામણ કરી હતી
જયરાજસિંહે આ ઘટનાને દ્યાનમાં રાખીને ટ્વીટ કર્યું હોઇ શકે
જયરાજસિંહનું માનવું હોય શકે કે આવું કામ સંગઠને કરવાનું હોય છે
જો કે કોંગ્રેસમાં ધારાસભ્યો આ કામ કરી રહ્યા છે.
નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને ચાલી રહી છે ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના નેતા-સામાજિક આગેવાનને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની વચ્ચે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ મુદ્દે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ ખોડલધામના નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે બન્ને બાજુથી વાતચાલી રહી છે. તેમજ યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે તેઓએ પાસના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.
રાજકીય અને સામાજિક આગેવાનો માટે ઘડાઈ રણનીતિ
બીજી તરફ શંકરસિંહ વાઘેલાને પણ કોંગ્રેસમાં પુનઃ જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું જો કે, તેમણે ઉમેર્યું હતું કે, શંકર સિંહવાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાના મુદ્દે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.રાજનેતા અને સામાજિક આગેવાનોને કોંગ્રેસમાં જોડાવવા અંગે કોંગ્રેસ પ્રમુખ જગદ્દીશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપણાતાં જણાવ્યું હતું કે, અમે જૂના નેતાઓ, રાજનેતા અને સામાજિક આગેવાનોના સતત સંપર્કમાં છીએ.
કોંગ્રેસમાથી બળવો કરીને શંકરસિંહ વાઘેલા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં 16 ધારાસભ્યો સાથે શંકરસિંબહ વાઘેલાએ બળવો પોકાર્યો હતો. ત્યારે હવે તે ફરી એકવાર કોંગ્રેસમાં આવવા માંગે છે. વાઘેલા અવાનવાર કોંગ્રેસના નેતાઓને મળતા રહે છે. આ સાથે તેઓ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને જગદિશ ઠાકોરના સતત સંપર્કમાં છે. તેમજ ક્ષત્રિય -ઠાકોર સમાજના મોટા ભાગાના કાર્યક્રમમાં પણ તેઓ હાજર હોય છે. મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અગાઉ શંકરસિંહ મુદ્દે નિવેદન આપી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોર તો શંકરસિહના જાહેરમાં વખાણ કરે છે.
તાજેતરમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપ્યું હતું
ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન છે. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ.