ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બદલાઈ શકે છે. જેમાં અર્જૂન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી પ્રદેશ અધ્યક્ષ બની શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર
પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ
પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બદલાઇ શકે છે
ગુજરાતમાં મનપાના પરિણામ બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બદલાઈ શકે છે. જેમાં અર્જૂન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. તો પૂંજા વંશ અથવા શૈલેષ પરમારમાંથી કોઈ એક વિપક્ષના નેતા બની શકે છે. તો આ તરફ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા ધરી દીધા છે. વિપક્ષ નેતા તરીકે પુંજા વંશનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના કામથી હાઈ-કમાન્ડ નારાજ હોવાની વાત પણ સામે આવી છે. જે સાથે હાઈ કમાન્ડે રાજીવ સાતવનું રાજીનામાની પણ માગણી કરી છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા સાથે નવા પ્રભારી પણ મળી શકે છે.