રાજ્ય સરકારના રખડતા ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધમાં હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે.સરકારના આ કાયદા વિરુદ્ધમાં માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત કોગ્રેસ રાજ્યપાલને મળશે
ઢોર બિલ મામલે કરશે મુલાકાત
સિનિયર નેતાઓ મળશે રાજ્યપાલને
શહેરોમાં રખડતા પશુઓના આતંક સામે સરકારે એક્શન લેવા અડધીરાત્રે વિધાનસભામાં બિલ પસાર કર્યુ.તો બીજી બાજુ માલધારી સમાજ સહિત વિપક્ષ કોંગ્રેસે કેટલાક સવાલો ઉઠાવ્યા અને બિલને સમાજ વિરોધી ગણાવ્યુ.ચારેબાજુથી વિરોધ ઉગ્ર બનતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે CM ભૂપેન્દ્ર પટેલને કાયદા અંગે ફેરવિચારણા કરવા ભલામણ કરી.તો સરકારના બિલનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ સહિત પાલિકા સામે વિરોધ પ્રદર્શનો થયા.માલધારી સમાજે બિલને કાળો કાયદો ગણાવ્યો અને બિલ પાછુ ખેંચવા માગ કરી.હવે સવાલ એ છે કે રખડતા ઢોર સામે ક્યાં સુધી શહેરીજનો લાચાર રહેશે?.ઢોર નિયંત્રણ કાયદો લાગૂ થાય તે પહેલા કેમ થઈ રહ્યો છે વિરોધ?.સરકાર અને તંત્રના અંકુશ સામે કેમ માલધારી સમાજમાં છે આક્રોશ?
સવારે 11 વાગ્યે રાજ્યપાલની મુલાકાત કરશે સિનિયર કોંગ્રેસના નેતા
ગુજરાત કોગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે રાજ્યપાલને મળશે અને રખડતા ઢોર મામલે પસાર થયેલુ બિલ પરત ખેંચવા રજૂઆત કરશે.સાથે જ કાયદા પર હસ્તાક્ષર ન કરવા અપીલ પણ કરશે. આ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટિના અધિકારીની ટીપ્પણી અંગે પણ રજૂઆત કરશે. વિપક્ષના નેતા, કોંગ્રેસ પ્રમુખ સહિતના સિનિયર કોંગ્રેસ આગેવાનો આ મુલાકાતમાં હાજર રહેશે. સવારે 11 વાગ્યે કોંગ્રેસનુ પ્રતિનિધી મંડળ રાજ ભવન જશે.
સીએમ સાથે માલધારી સમાજના આગેવાનોની બેઠક
રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો મામલે માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી બેઠક કરશે ગુરુવારે સવારે 10:00 કલાકે સીએમ નિવાસસ્થાને બેઠકમાં ચર્ચા કરશે.બેઠકમાં કાયદો રદ કરવો કે જરૂરી સુધારા બાબતે નિર્ણય લેવાશે. મહત્વનું છે કે બુધવારે મળનારી બેઠક CMના વ્યસ્ત કાર્યક્રમને લઇ રદ્દ કરવામાં આવી હતી.
ગાયો સાથે વિધાનસભા તરફ કૂચનું અલ્ટિમેટમ
રખડતા ઢોર નિયંત્રણ કાયદા ને લઇ માલધારીઓ નો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ માલધારી સેલ ની પ્રદેશ કાર્યાલય લઈએ મહત્વપૂર્ણ બેઠક મળી.. જેમાં સરકારને કાયદા અંગે જલ્દી નિર્ણય લેવા જણાવતા ચીમકી ઉચ્ચારવામા આવી કે જો કાયદો જલ્દી પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયે માલધારીઓ પોતાની ગાયો સાથે વિધાનસભાની કૂચ કરશે.. કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ અમિત લવતુકા એ નિવેદન આપતા જણાવ્યું કે કાળા કાયદાનો નિર્ણય પરત ખેંચવા સરકાર પર દબાણ કરીશું.. સરકાર શહેરી વિકાસ સાથે માલધારીઓ માટે રિઝર્વેશન રાખે.. કોંગ્રેસ સરકારે અમદાવાદમાં ઓઢવ, જશોદાનગર માં કોલોની બનાવી હતી.. સરકારે ગૌચરો ઉદ્યોગોને વેચી મારતા ગયો રસ્તા પર આવી.. કાયદો પરત નહીં ખેંચે તો અમે ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરીશું
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ
બુધવારે સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરીએ માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.જિલ્લાના માલધારી સમાજના સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.તેમજ આગામી દિવસોમાં કાયદો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જિલ્લા કલેકટર કચેરીએ માલધારી સમાજના આગેવાનો દ્વારા રામધૂન સહિતના કાર્યક્રમો કર્યા હતા.