આજે વર્ષોથી પેન્ડિંગ પડી રહેલા અયોધ્યા કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ કિલયર કરતા જણાવ્યુ છે કે અમે અદાલત જે પણ ચુકાદો આપશે તેનું સન્માન કરીશુ.
પરેશ ધાનાણીએ લખી કવિતા
કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર
શક્તિસિંહે પણ આપ્યુ નિવેદન
અયોધ્યા કેસના ચુકાદા મુદ્દે નિવેદન આપતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે કહ્યું કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલાથી ક્લીયર છે. અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું. ગુજરાતમાં શાંતી અને સૌહાર્દ જળવાઈ રહે તે અગત્યનું છે અને સર્વોચ્ચ અદાલતનો જે કોઈ પણ નિર્ણય હોય તે અમને મંજૂર રહેશે.
પરેશ ધાનાણીએ કવિતા લખી સુપ્રીમના ફેંસલાને આવકાર્યો
ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો છે અને આ અંગે કવિતા પણ ટ્વીટ કરી છે.
""रामल्लाह खुद करेंगे फैसला""
भारत का संविधान ही है
हमारी गीता और कुरान.,
अखंडित भारत की भूमि है
हमारा मंदिर और मस्जिद.,
आज अयोध्या मे राम मंदिर पर नामदार
सर्वोच्च न्यायालय द्वारा दिए गए और दिए
जाने वाले हर एक फैंसले का कांग्रेस पार्टी
सम्मान करती है और करती रहेगी..।
વિવિધ આગેવાનો દ્વારા સતત કોમી એખલાસ જાવવાના મેસેજ
ચુકાદાના પગલે ગુજરાતમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે દરેક સમાજ અને ધર્મના આગેવાનો પણ કોમી એખલાસ જાળવી રાખવા સતત શાંતીની અપીલ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ અપીલ કરવામાં આવી છે. જેમાં હિન્દૂ, મુસ્લિમ સહિતના દરેક ધર્મના આગેવાન શાંતી જાળવી રાખવા અપીલ કરી રહ્યા છે.