ખેડૂત આંદોલન મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યું છે, માત્ર અમે ખેડૂતોને સમર્થન આપી રહ્યા છીએ. ખેડૂતના સમર્થનથી સરકાર ડરી ગઇ છે. તો સાથે મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સને દિલ્હીની પ્રેસનું ગુજરાતી ટ્રાન્સલેટ ગણાવ્યું છે.
ભારત બંધનુ એલાન ખેડુત સંગઠનોએ આપ્યુ છે અને કોંગ્રેસ તેનું સમર્થન કરશેઃ અમિત ચાવડા
ભાજપના કાળા કાયદાના કારણે ખેડૂતો રસ્તા પર આવ્યાઃ અમિત ચાવડા
CM રૂપાણીએ દિલ્હીની પ્રેસને માત્ર ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છેઃ અમિત ચાવડા
દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 12મો દિવસ છે. તો ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે ભારત બંધના કાલના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ દોડધામ કરી રહ્યું છે. દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારની APMC બંધ કરાવવા સૂચના અપાઇ છે. સાથે ખેડૂત સંગઠનો જે કાર્યક્રમ કરે એને સમર્થન આપે, દબાણ કે ઘર્ષણમાં નહીં ઉતરવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ખેડૂત આંદોલન મામલે ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના કાળા કાયદાના કારણે ખેડૂતો રસ્તા પર આવ્યા છે. CM રૂપાણીએ દિલ્હીની પ્રેસને માત્ર ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે, CM રૂપાણી દિલ્હીના પત્રકાર પરિષદની નકલ કરી છે, તેમણે પોતાના રીતે કોઈ વાત કરી ન હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. ખેડુતોના સમર્થનથી સરકાર ડરી ગઇ છે, ખેડુતો અને વેપારીઓ દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથીઃ અમિત ચાવડા
ભારત બંધનુ એલાન ખેડુત સંગઠનોએ આપ્યુ છે અને કોંગ્રેસ તેનું સમર્થન કરશે. આ કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી. કોંગ્રેસ માત્ર ખેડૂતોને સમર્થન આપે છે. આ બિલથી ફરી અંગ્રેજ રાજ આવશે. ખેડૂતો સસ્તા ભાવે પોતાનો માલ વેપારીઓને વેચવા મજબુર બનશે.
સરકારે ગુજરાતમાં લોકોનો અવાજ દબાવવાનું પ્રયત્ન કર્યો છેઃ અમિત ચાવડા
ગુનાહિત ફરિયાદની ચીમકી અંગે અમિત ચાવડાએ કહ્યું કે, અંગ્રેજોની નીતિ મુજબ ભાજપ રાજ કરે છે. ગુજરાતમાં લોકોનો અવાજ દબાવવાનું પ્રયત્ન કર્યો છે. સત્ય, ન્યાય, હક ની લડાઈમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગૃહમંત્રી ખેડૂતોને દબાવવાનું પ્રયાસ ના કરે. ખેડૂતોએ જ તમને ગાંધીનગર સુધી પહોંચાડ્યા છે. અનેક APMCએ બંધને સમર્થન જાહેર કર્યું છે. પોલીસની ચિમકી આપી ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાતમાં બધુ ચાલુ રહેશે, બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
આ બિલથી ફરી અંગ્રેજ રાજ આવશેઃ ચાવડા
આ બિલથી APMCની વ્યવસ્થા ખતમ થઇ જશે. ખેડૂતો સસ્તા ભાવે પોતાનો માલ વેચવા મજબૂર બનશે. ઉદ્યોગપતિઓ માલામાલ થઇ જશે. ખેડૂતો આપણા સૌની મદદ કરી રહ્યા છે. દેશને કંપની રાજથી બચાવવા માટે આંદોલન છે. ખેડૂતના સમર્થનથી સરકાર ડરી ગઇ છે. આજે ખેડૂતોનો વારો આવ્યો છે, કાલે તમે પણ આવી શકે છે.