ગુજરાતના રાજકારણમાં આજે જબ્બર ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસમાંથી રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા જેમાંથી 5 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે.
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર
ભાજપ ત્રણ પૂર્વ ધારાસભ્યને પક્ષમાં નહી આવકારે
ભાજપમાં જોડાવવા માત્ર પાંચ પૂર્વ ધારાસભ્યને આમંત્રણ
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પાંચ ધારાસભ્યો આજે કરશે કેસરિયો
કોંગ્રેસનો હાથ છોડનાર પાંચ ધારાસભ્યો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો કરશે. જેમાં અબડાસાથી રાજીનામું આપનાર પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણથી અક્ષય પટેલ, કપરાડાથી રાજીનામું આપનાર જીતુ ચૌધરી, ધારીના જે.વી.કાકડિયા અને મોરબીથી રાજીનામું આપનાર બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાશે.
આ 3 ધારાસભ્યો ભાજપમાં આયાતી એન્ટ્રી નહીં
ભાજપે ત્રણ પૂર્વ ધારાસભ્યોને બાય બાય કહ્યું છે. ત્રણ પૂર્વ ધારાસભ્યોને ભાજપ પાર્ટીમાં એન્ટ્રી નહીં આપે. કારણ કે ભાજપ ત્રણ પૂર્વ ધારાસભ્યને ભાજપ પક્ષમાં નહી આવકારે. જેમાં લિંબડીના સોમા ગાંડાને ભાજપમાં જોડાવવા આમંત્રણ અપાયું નથી. તો ડાંગના મંગળ ગાવિત અને ગઢડાના પ્રવિણ મારુને પણ ભાજપમાં જોડાવા આમંત્રણ મળ્યુ નથી. એટલે કહી શકાય છે ભાજપે આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોને બાય બાય કહ્યું છે
પ્રદ્યુમન સિંહ જોડાશે ભાજપમાં
અબડાસાની બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ છે. ત્યારે હવે પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાશે. આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, વિકાસ રાહ માટે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છુ. હું સરપંચ હતો ત્યારથી ભાજપ સાથે હતો. શક્તિસિંહ અને સમાજના કારણે કોંગ્રેસમાં જોડાયો હતો. વિપક્ષ તરીકે વિસ્તારનો વિકાસ શક્ય ન હતો. ત્યારે હવે ભાજપમાં જોડાવવા જઈ રહ્યો છું. સાથે જ તેમણે કહ્યું કે, અબડાસા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી જ લડવાનો છુ. પેટા ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે.
કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી આજે ભાજપમાં જોડાશે
કપરાડાના ધારાસભ્ય પદ પરથી જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ છે. ત્યારે આજે જીતુ ચૌધરી ભાજપમાં જોડાશે. જીતુ ચૌધરી ગાંધીનગરમાં કમલમમાં જવા માટે રવાના થયા છે. પેટાચૂંટણીમાં ભાજપ ટિકિટ આપે તેવે જીતુ ચૌધરીએ દાવો કર્યો છે. વલસાડમાં જીતુ ચૌધરી નામ ધરાવે છે.. તેઓ ભાજપમાં જોડાવવા માટે જતા વલસાડના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.