થોડા દિવસ પહેલા રાજસ્થાનના MLA સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જશે તેવી ભવિષ્યવાણી કરેલી જે હકીકતમાં 'બદલાઈ' શકે
કોંગ્રેસમાં ફરી ગાબડાંના એંધાણ!
કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર
ભાજપના 2 કદાવર નેતા પકડી શકે કોંગ્રેસનો હાથ
ગુજરાતમાં કોંગ્રેસના ઉદયની વાત તો દૂર છે.પરંતુ કોંગ્રેસ પોતાના જેટલા ધારાસભ્યો છે તેટલાને પણ સાચવી લે તો પણ બસ છે.આવું કહેવું ન જોઈએ. પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસના 10 ધારાસભ્યો કેસરિયો ધારણ કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ભાજપે ગોઠવ્યા સોગઠાં
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરિવાર ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચી જશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં પાટણના કિરટ પટેલથી માંડી રાજુલાના અંબરીશ ડેર સુધીના દિગ્ગજ 10 જેટલા MLA ભાજપમાં 6 એપ્રિલે ભળશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.મહત્વનું છે કે 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે મોટો ખેલ પાડવાની તૈયારી હાલ ગુજરાત ભાજપ કરી રહ્યું છે.
કયા 10 કોંગ્રેસના MLA પર ભાજપની નજર?
કિરીટ પટેલ, પાટણ
અંબરીશ ડેર, રાજુલા
નિરંજન પટેલ, પેડલાદ
અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
મહેશ પટેલ, પાલનપુર
કનુભાઈ બારૈયા, તળાજા
રાજેશભાઈ ગોહિલ, ધંધુકા
સુનિલ ગામિત, વ્યારા
વજેસંગભાઈ પણદા, દાહોદ
ઈન્દ્રજિતસિંહ પરમાર, મહુધા
કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થતિ
ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. જેમાંથી 10 ધારાસભ્યો જૂના ટ્રેન્ડ મુજબ ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભળી શકે છે. એક તરફ નરેશ પટેલની એન્ટ્રી કોંગ્રેસમાં પાક્કી જેવી જ લાગી રહી છે જેનાથી ગુજરાતમાં 27 વર્ષથી મરી પડેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફુંકાય તેવી શક્યતા તો બીજી તરફ ભાજપ કોગ્રેસના ચારેય કોરથી જે મોટા માર્જિનથી અગાઉની ચૂંટણી પોતાના દમ પર જીત્યા હતા તેવા ઉપરોક્ત 10 ધારાસભ્યોને ભાજપની ટોપી પહેરાવી શકે છે. જેથી કોંગ્રેસ જે નરેશ પટેલને કારણે ફરી જીવતી થતી હતી તેનો કોંગ્રેસનો શ્વાસ રૂંધી શકાય તેમ છે.
શું સંયમ લોઢાની ભવિષ્યવાણી સાચી ઠરશે?
મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાનાએ 18 માર્ચના રોજ એક નિવેદન આપ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપ નજર નાખી રહ્યું છે. આ નિવેદનના કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ હતી. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે સંયમ લોઢાએ એક ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી.
કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસમાં ભળે તેવી શક્યતા
ચૂંટણી પહેલા કોંગ્રેસ હાલ ગુજરાતમાં એક બાદ એક સમાજ આધારિત રાજકીય સમીરકણો ગોઠવી મજબૂતાઈ ઉતારવાની ફિરાકમાં છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની વાત વચ્ચે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલમાં સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રીની સીટ પર બેસનાર કુંવરજી બાવળીયા હવે ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટનો બીજો મોટો ચહેરો પરસોતમ સોલંકી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી શકે તેવા વરતારા દેખાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના નેતાની મદદથી રઘુ શર્મા સાથે થઇ ટેલિફોનિક વાતઃ સૂત્ર
કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાત સૂત્રો દ્વારા મળી રહી છે. આ બંને નેતાઑને ભાજપમાં સાઈડલાઈન કરવામાં આવતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે .તેથી સૌરાષ્ટ્રના નેતાઓની મદદથી રઘુ શર્મા સાથે ટેલિફોનિક વાત થઇ ગઈ છે. જો નરેશ પટેલ, કુંવરજી અને પરસોત્તમ સોલંકી કદાચ કોંગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ ઊંધો પડી શકે તેમ છે.