શાળા-કોલેજો ખુલશે પણ જવાબદારી વાલીઓની રહેશે. છેલ્લા ઘણા સમયથી વાલીઓ જે રીતે શાળાઓ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. તે અંતે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના વર્ગોને SOP પ્રમાણે શરૂ કરવાનો આદેશ આપી દીધો છે. 23 નવેમ્બરથી શાળાઓના દ્વાર ખુલી પણ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમો પણ રહેશે. ત્યારે હવે યુનિવર્સિટીમાં ફરી શિક્ષણકાર્યને લઇને SOP જાહેર કરવામાં આવી છે.
23 નવેમ્બરથી ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજો પુન: શરૂ કરવા આદેશ
યુનિવર્સિટીમાં ફરી શિક્ષણકાર્યને લઇને SOP જાહેર
ઓફલાઈન શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે
કોરોના મહામારી અને બીજી તરફ ધંધા-વેપાર-શૈક્ષણિક કાર્યને મોટી અસર પડી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યની શાળાઓ અને કોલેજો પણ બંધ છે. જેને લઇને બાળકોના અભ્યાસને લઇ વાલીઓ અને સરકાર પણ ચિતિંત છે. જેને લઇને 11 નવેમ્બરે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં દિવાળી બાદ રાજ્યમાં શાળા-કોલેજો ચાલુ કરવા મુદ્દે નિર્ણય લેવાયો હતો.
યુનિવર્સિટીમાં ફરી શિક્ષણકાર્યને લઇને SOP જાહેર
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં ફરી શિક્ષણકાર્યને લઈને SOP જાહેર કરાઇ છે. જેમાં જણાવાયું છે કે, 23 નવેમ્બરથી ફરી યુનિવર્સીટી-કોલેજો શરૂ થશે. UGCની ગાઈડલાઈનને અનુસાર શિક્ષણકાર્ય શરૂ થશે. ઓફલાઈન શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે. સંસ્થાઓએ વિદ્યાર્થી-વાલીઓ પાસેથી સંમતીપત્ર લેવાનુ રહેશે. જે વિદ્યાર્થી ઓફલાઈનમાં ન જોડાય તેમણે ઓનલાઈન જોડાવુ પડશે. પ્રથમ તબક્કામાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મંજૂરી. સોશિયલ ડિન્ટન્સ જાળવવા 50-50% વિદ્યાર્થીઓની હાજરી રહેશે. હોસ્ટેલમાં એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે.
આ સાથે માસ્ક ફરજિયાત રહેશે અને હેન્ડવોશ, સેનેટાઇઝેશન પોઇન્ટ્સની પૂરતી સંખ્યા રાખવાની રહેશે. વર્ગખંડોનું સમયાંતરે સેનેટાઇઝેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશે ત્યારે તેનું તાપમાન માપવામાં આવશે અને તમામ યુજીસીની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે. ધોરણ 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરાઈ હતી. આમ તબક્કાવાર શિક્ષણકાર્ય ગુજરાતામં શરૂ થશે.
બાળકો સ્કૂલમાં સામાજિક અંતર નહી રાખી શકેઃ AMA
રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરથી સ્કૂલ, કોલેજ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે AMAએ કહ્યું હતું કે, બાળકો સ્કૂલમાં સામાજિક અંતર નહીં રાખી શકે. હાલની સ્થિતિને ધ્યાને રાખીને બાળકોએ સ્કૂલમાં ન જવું જોઈએ. જો બાળક સ્કૂલમાંથી ઘરે જઈને માતાને ભેટશે એટલે સંક્રમણ ફેલાવવાની વધુ શક્યતા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, બાળકોની સરકારની ગાઈડલાઈનનું પાલન કરે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.