મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી 24 ઓક્ટોબર દરમિયાન વિદેશ પ્રવાસે છે. જ્યાં ડે.પીએમ ઇલિયર ગનીયેવ સાથે મુલાકાત કરી હતી. આ વિદેશ પ્રવાસમાં 40 ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે. આ સાથે 10 ઉચ્ચ અધિકારીઓ પણ ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસે
ડેપ્યુટી PM એલ્યોર ગનીયેવ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે પહોંચ્યા છે. મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવાના છે. તેમનુ ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ ઉષ્મા પૂર્ણ સતકાર કર્યો હતો.
CM રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં રૂપિયા ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી શારદા યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો. શારદા યુનિવર્સિટી ભારતમાં છેલ્લા 2 દાયકાથી કાર્યરત છે. શારદા યુનિવર્સિટી એન્ડિજાનની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, શૈક્ષણિક સંકુલથી બંને દેશના સંબંધ મજબૂત બનશે. યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટમાં વધારો થશે.
મહત્વનું છે કે, ઉઝબેકિસ્તાનમાં ગુજરાતની માફક બિઝનેસ સમિટ યોજાશે. આ સમિટમાં CM રૂપાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. CM સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે CM રૂપાણી સાથે વાતચીત કરશે. તેમજ વેપારને લઈને બંને વચ્ચે કરાર થશે. ઉઝબેકિસ્તાનની શેરીમાં સરદારની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેનું લોકોર્પણ CM રૂપાણી કર્યું હતું. ઉઝબેકિસ્તાનમાં CM રૂપાણીના હોર્ડિંગ્સ લાગ્યા છે.
Excellent meeting with Mr. Elyor Ganiev, Deputy Prime Minister of the Republic of Uzbekistan. We talked on wide range of subjects including pharmaceuticals, tourism and many others of mutual importance. @amb_tashkentpic.twitter.com/Ij8sHz9rs2
મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે પહોંચ્યા છે. મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવાના છે.
આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે.
તેઓ આ પ્રવાસ દરમિયાન એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે સહભાગી થવાના છે. મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાવાના છે.
મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૧૯ ઓક્ટોબર શનિવારે વહેલી સવારે અમદાવાદથી પ્રસ્થાન કરીને એન્ડિજાન પહોંચશે અને ત્યાં આયોજીત ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ઓપન એન્ડિજાનના ઉદઘાટન સમારોહમાં જોડાશે.
મુખ્યમંત્રી ઇન્ડિયા ઉઝબેકિસ્તાનના ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માનું ઉદ્ઘાટન કરવાનાં છે. તેઓ ફિક્કી વિમેન્સ ઓર્ગેનીઝેશન આયોજીત વુમન સબ કમિટિની બેઠકમાં સંબોધન કરશે.
મુખ્યમંત્રી તેમના પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે અને ઉદ્યોગ, વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લેશે.
શ્રી વિજયભાઇ રૂપાણી ૨૧મી ઓક્ટોબરે પ્રવાસના ત્રીજા દિવસે બુખારાના ગવર્નરશ્રી સાથે બેઠક કરશે અને ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટીંગમાં સહભાગી થશે. તેઓ બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ, ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ નિરિક્ષણ મુલાકાત કરશે.
મુખ્યમંત્રી ૨૨ ઓક્ટોબરે તાશ્કંદની મુલાકાતે જશે અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મ્યુઝિયમની મુલાકાત કરશે. ત્યારબાદ શાસ્ત્રી સ્કુલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે. વિજય રૂપાણી તાશ્કંદના મેયર સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજશે અને બી-ટુ-બી બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.
તેઓ તાશ્કંદ-ઉઝબેકિસ્તાનમાં વસવાટ કરી રહેલા ગુજરાતી સમુદાયો સાથે ભોજન સહ બેઠકમાં ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરવાના છે. મુખ્યમંત્રી તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના અંતિમ દિવસે તા. ૨૩ ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત સવકત મીરઝી યોવેવ સાથે બેઠક યોજાશે અને બપોર બાદ ગુજરાત પરત આવશે
.