મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ભાવનગરની મુલાકાતે છે. સીએમ રૂપાણી ભાવનગરમાં નવા બનનારા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય ભાવનગરમાં ત્રણ કોલોનીનું પણ ખાતમુહૂર્ત કરશે. જો કે સીએમ રૂપાણી આ ઉપરાંત નવા બનેલા અન્ય 21 ડેપોનું પણ અહીંથી જ લોકાર્પણ કરશે.
આ ઉપરાંત 125થી વધુ નવી બસોનું પણ સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જવાહર મેદાન ખાતે સીએમ રૂપાણી જાહેરસભાને પણ સંબોધન કરશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરની મુલાકાતે પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં નવા બનનારા એસ ટી ડેપોનું ખાતમુર્હૂત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઠ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ અગાઉ આ ડેપોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ કોઇ કારણોસર અટકી ગયા બાદ હવે આજરોજ સીએમ રૂપાણીના હસ્તે ભાવનગરના નવા બનનારા એસ ટી ડેપોનું ખાતમુર્હૂત થશે. આ સાથે ભરૂચના સેલંબા, સુરેન્દ્રનગર, ભુજ, અમરેલીના નવા એસ ટી ડેપોનું ખાતમૂર્હુત પણ અહીંથી કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યમાં 52 કરોડના ખર્ચે નવા બનાવાયેલા 21 નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ અહીંથી કરવામાં આવશે. આ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં નવી ફાળવવામાં આવનારી 125 બસોનું લોકાર્પણ પણ કરશે. આ સાથે ભાવનગરમાં આજથી ટ્રાફિક એજ્યુકેશન અને અવર્નેસ મોબાઇલ વાનનું લોકાર્પણ સીએમ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવશે.