નવા વર્ષ ની પરંપરાગત મુખ્યમંત્રી નગરદેવીના દર્શનની પરંપરાને પગલે CM રૂપાણીએ પણ મા ભદ્રકાળીના દર્શન કર્યા હતા. CM વિજય રૂપાણીએ ભાજપ ના તમામ હોદ્દેદારો સાથે દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી સાથે જ ગુજરાત માં શાંતિ બની રહે અને ગુજરાત નો વિકાસ થાય તે માટે ભદ્રકાળી ને પાર્થના કરી હતી
નવા વર્ષે IPS મેસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ
CM રૂપાણી સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યાં
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત
ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરિવાર સાથે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યપાલને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટાર ખાતે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યુ હતુ. પંચદેવ મંદિરમા મુખ્યમંત્રીએ પુજા અર્ચના કરીને ગુજરાતના વિકાસની પ્રાર્થના કરી હતી. ગુજરાત સમૃધ્ધશીલ અને વિકાસશીલ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી.
રાજ્યપાલને મળીના પાઠવી શુભેચ્છા
નૂતન વર્ષે CM રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષનુ શુભેચ્છા પાઠવીને મુખ્યમંત્રીવિજય રૂપાણીએ 31 ઓકટોબરના રોજ સરદાર પટેલની જન્મદિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને પણ ખુશી વ્યકત કરી હતી.
CM રૂપાણી સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યાં
નવા વર્ષે IPS મેસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. CM રૂપાણી સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યાં હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય સચિવ જે.એન સિંહ સહિતના અધિકારીઓ હાજર હતા. DG શિવાનંદ ઝા અને IPS અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.