CM વિજય રૂપાણી આજે નર્મદા જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.
પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરાવ્યું છે. આ યોજનાથી જિલ્લાના 39 ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે.
CM રુપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા સંબોધન કર્યું. સંબોધનમાં વિજય રુપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.
CM રુપાણીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં નર્મદાની સ્થિતિ રમણ-ભમણ હતી. કોંગ્રેસે લોકોના પ્રશ્નો જાણ્યા જ નથી. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને વીજળી મળી નથી.
નર્મદા જિલ્લામાં સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા CM રુપાણીએ કહ્યું કે મોદી સરકારના રાજમાં હવે વિકાસ થયો છે. રાજ્યમાં હવે 24 કલાક વીજળી ખેડૂતોને મળી રહી છે. કોંગ્રેસને ખેડૂતો વિષે બોલવાનો હક નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે CM વિજય રુપાણીએ નર્મદા ખાતે જેણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેવિડયા-વડોદરા વચ્ચેની ટ્રેનને લીલીઝંડી આપશે.
મુખ્યમંત્રી વિજય રુપાણીનું મહત્વનું નિવેદનઃ PM મોદી કેવડિયા-વડોદરા વચ્ચેની ટ્રેન સેવાનો 16 જાન્યુઆરીએ શુભારંભ કરાવશે. કેવડિયા રેલવે સ્ટેશનનું પણ ઇ-લોકાર્પણ કરશે, 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે@vijayrupanibjp@CMOGuj@narendramodi@PMOIndiapic.twitter.com/NIhbPR4iKG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 7, 2021
CM રુપાણીએ કહ્યું કે 16 જાન્યુઆરીના પીએમ મોદી શુભારંભ કરાવશે. પીએમ મોદી કેવડિયા રેલવે સ્ટેશનનું પણ ઇ-લોકાર્પણ કરશે. આ સાથે 18 જાન્યુઆરીના રોજ પીએમ મોદી અમદાવાદમાં મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે.