આવતીકાલ 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો. મુખ્યમંત્રીએ આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આઝાદીની લડતમાં શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.
ગુજરાતની પ્રજાને આઝાદી પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, દેશની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરીને, લાઠીઓ અને ગોળીઓ ઝીલીને, ફાંસીના તખ્તે ચડીને લડેલા લડવૈયા-ક્રાંતિકારીઓને પૂણ્ય સ્મરણ કરીને વંદન. ખુદીરામ બોઝ, સુખદેવ, ભગતસિંહ, રાજગુરૂ, સરદાર પટેલ, વિર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ સહિત દેશને આઝાદી અપાવવા માટે શહિદ થયેલા તમામને શ્રદ્ધાંજલિ.
370 કમનસીબીનું સ્ટેટસ હતું
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતના નકશાને નવા રાષ્ટ્ર બનાવવા, દેશને આઝાદી અપાવવા અને એક રાષ્ટ્ર બનાવવાનો જેણે અવિરત પુરૂષાર્થ કર્યો પરંતુ 370એ કાશ્મીરને કમનસીબીનું સ્ટેટસ મળ્યું. જમ્મુ કાશ્મીર માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ શહીદી વ્હોરી. પરંતુ અલગાવવાદથી ભારતનું સ્વર્ગ નર્ક બન્યું. અલગતાવાદી નેતાઓએ આતંકવાદને વધાર્યો જેમાં અનેક લોકોએ જીવ ગુમાન્યો. કાશ્મીરની સમસ્યામાં તે સ્વપ્ન અધુરૂ દેખાણું.
ગાંધી-સરદાર અને મોદી-શાહે દેશને પૂર્ણ બનાવ્યો
15 ઓગસ્ટ 1947માં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે સ્વરાજનું સ્વપ્ન સાકાર કર્યું. તેજ રીતે 71 વર્ષ બાદ નરબંકા મોદી-શાહે 5 ઓગસ્ટના રોજ પૂર્ણ સ્વરાજ માટે કાશ્મીરમાંથી 370 હટાવીને, 35એ દૂર કરીને ભારતમાતાના લલાટ પર મુગટ મળી પૂર્ણકાલીન રીતે શોભાવ્યો. ભારતીયો માટે ખરા અર્થમાં ઐતિહાસિક બન્યો.
લોકો સૌરઉર્જાથી વીજળી ઉત્પન્ન કરે
વધુમાં રાજ્યની યોજનાઓ અને વિકાસ મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું કે, સૌરઉર્જાથી દરેક પોત પોતાની વીજળીનું ઉત્પાદન કરે. ઉત્પાદન કરેલી વીજળી કરકસરથી વાપરીને સરકારને વેંચે, જેનાથી તેમને ફાયદો થશે. જેના માટે સરકાર સબસીટી પણ આપશે.
ઘરના ઘર ફળીમાં નળ
પાણી મુદ્દે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ખારા પાણીને મીઠા કરવા માટે, પાણીની કેપેસિટીને વધારવા માટે તળાવો ઉંડા કરવા, દરરોજ વપરાયેલા પાણીને સાફ કરીને ફરી વાપરવા, તમામ પાણીનો ઉપયોગ કરીને વાપરવા માટે પ્રયાસો કર્યા. દરેક ઘરમાં નળ હોવા જોઇએ.
ભરતી મેળાઓથી મળશે નોકરી
યુવાનોનીને સંબોધતા કહ્યું હતું કે, નોકરીઓ માટે ભરતી મેળાઓ સરકાર કરી રહી છે. લોકોને વધુને વધુ નોકરી મળે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.